ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકીય વિશ્લેષકોએ ‘જનતા કર્ફ્યૂ’માં સાથ આપવા લોકોને કરી અપીલ

કોરોના વાઇરસ લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશવાસીઓને અપીલ કરી છે કે, 22 માર્ચે જનતા કરફ્યૂ રાખવામાં આવે. તેને લઇને ગુજરાતના રાજકીય વિશ્લેષકોએ પણ તેમાં જોડાવા માટે લોકોને અપીલ કરી છે.

By

Published : Mar 22, 2020, 3:43 AM IST

Updated : Mar 22, 2020, 7:39 AM IST

Political analysts
રાજકીય વિશ્લેષકોની અપીલ

અમદાવાદઃ રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, વિશ્વ માટે જ્યારે આ મહામારીનું સર્જન થયું છે. ત્યારે ભારતના લોકોએ પણ એક સાથે રહી, આ મહામારીનો સામનો કરવો જોઈએ.

સરકાર તેમનું કામ કરી રહી છે. પરંતુ જનતાએ પણ તેમાં પોતાનો સહકાર આપીને સરકારે સૂચવેલા પગલાં લેવા જોઈએ. જેથી ભારત જેવા ગીચ વસતી ધરાવતા દેશમાં કોરોના વાયરસ મોટું નુકસાન ન પહોંચાડી શકે. રાજકીય વિશ્લેષકો વધુમાં જણાવ્યું હતું કે, આવા સમયે અફવાઓથી દૂર રહેવું જોઈએ અને બિનજરૂરી મેસેજ ફોરવર્ડ કરવા ન જોઈએ.

રાજકીય વિશ્લેષકોએ ‘જનતા કર્ફ્યૂ’માં સાથ આપવા લોકોને કરી અપીલ

22 માર્ચે જ્યારે જનતા કરફ્યૂ છે ત્યારે લોકો પોતાનું રોજિંદું કામ ઘરે બેઠા કરી શકે છે. સંગીત સાંભળી શકે છે, સારું પેઇન્ટિંગ બનાવી શકે છે, કોઈ લેખ લખી શકે છે, સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરી શકે તેવા જુદા-જુદા ઉપાયો રાજકીય વિશ્લેષકોએ આપ્યા હતા.

Last Updated : Mar 22, 2020, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details