અમદાવાદ :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારેરાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલે (Political analyst Vasudev Patel)નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ વિરૂદ્ધની પોસ્ટ સાથે ચેડાંની વાત કર્યાની વાત સામે આવી હતી. જે મુદ્દે ભાજપ નેતાએ ફરિયાદ નોંધાતા સરખેજ પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભાજપના નેતા હિરેન કોટકે ફરિયાદ નોંધાવી છે. (online posters tampering)
રાજકીય વિશ્લેષકે સામે ભાજપ નેતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ
રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલેની પોસ્ટ મામલે ધરપકડ (Political analyst Vasudev Patel) કરવામાં આવી હતી. ભાજપના નેતા ફરિયાદ નોંધાવી હતી કે, વડાપ્રધાન તેમજ ગૃહપ્રધાન દ્વારા કદી ન કહેવાયેલી વાતો વાળી ઓનલાઇન પોસ્ટમાં ગંભીર ચેડા કરીને મૂકવામાં આવી હતી. (Political analyst Vasudev Patel arrested)
શું છે સમગ્ર મામલો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાજકીય વિશ્લેષકના હોઠા હેઠળ રાષ્ટ્ર વિરોધી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અંગે એક પોસ્ટ ધ્યાનમાં કરવામાં આવી. જે પોસ્ટમાં વાસુદેવ પટેલે વડાપ્રધાન તેમજ ગૃહપ્રધાન દ્વારા કદી ન કહેવાયેલી વાતો એક ન્યુઝ ચેનલની પ્લેટ એટલે કે ઓનલાઇન પોસ્ટરમાં ગંભીર ચેડા કરીને મૂકી અને અનેક લોકોને ફોરવર્ડ કરી છે. (Political analyst Vasudev Patel arrested)
આરોપીની ધરપકડ બાદ જામીન પર મુક્ત પોસ્ટના કારણે વર્ગવિગ્રહ તેમજ તોફાનો ફાટી નીકળેતે પ્રકારે જાહેર શાંતિ જોખમાય તેવી બાબતને ધ્યાને લઈને ભાજપ નેતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં વાસુદેવ પટેલના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે વાસુદેવ પટેલની સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. આ અંગે સરખેજ પોલીસના અધિકારીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ બાદ જામીન પર મુક્ત કર્યા છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. (Vasudev Patel post case arrested)