ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર, કારણ અકબંધ

અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રામોલ વિસ્તારમાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ લકુમે જીવન ટૂંકાવ્યું છે. પોલીસકર્મીના આપઘાત કરવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 7:46 AM IST

police-constable-committed-suicide-while-on-duty-in-gaikwad-haveli-police-station-in-ahmedabad-city
police-constable-committed-suicide-while-on-duty-in-gaikwad-haveli-police-station-in-ahmedabad-city

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. નોકરી પરથી ઘરે આવીને આરામ કરવા ગયેલા પોલીસકર્મી સાંજ સુધી ન ઉઠતા પરિવારજનોએ રૂમમાં જઈને તપાસ કરતા તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આ અંગે પોલીસને જાણ કરવામા આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યા પાછળના કારણો જાણવા તજવીજ શરૂ કરી છે. મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી હતી. પોલીસકર્મીના આપઘાત કરવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.

પોલીસકર્મીનો આપઘાત:ઘટનાની વિગત મુજબ મૃતક પોલીસકર્મી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પીસીઆર વનમાં ફરજ બજાવતા હતા. કિરણભાઈ દેવજીભાઈ લકુમ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠિરાયા ગામનો વતની છે. હાલમાં તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હીરાબા સ્કૂલ પાસેની સોસાયટીમાં પોતાના ઘરે આપઘાત કરી લીધો છે. તેઓને પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

પોલીસ કાર્યવાહી:આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણમાં આવ્યું નથી. પરંતુ રામોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ મામલે પોલીસને રૂમમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ કે અન્ય વિગતો ન મળી આવતા પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસના આઈ ડિવિઝન એસીપી કુણાલ દેસાઈએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે અકસ્માત મોત દાખલ કરવામાં આવી છે. આત્મહત્યા પાછળના કારણો જાણવા માટેની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે.

  1. Surat Crime News : ડિપ્રેશનના શિકાર પતિએ પત્નીની હત્યા કરી, પછી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
  2. Manipur Violence News: મણિપુરમાં હિંસા વકરી, વધુ 3 નાગરિકોના મૃત્યુ થયા

ABOUT THE AUTHOR

...view details