સરકારે મસ્જિદમાં ઈદની નમાઝની પરવાનગી નહીં, ઘરમાં જ નમાઝ અદા કરવાની અપીલ - Permission to offer prayers in the mosque
ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર રમઝાન ઈદના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત ચાંદ કમિટી દ્વારા પત્ર લખી રમઝાન મહિનાના આખરી શુક્રવાર અને ઈદના દિવસે મસ્જિદમાં નમાઝ અદા કરવા માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે.

અમદાવાદ : ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ અને અમદાવાદના શાહી ઈમામ મુફ્તી શબ્બીર અહેમદ સાહેબે જણાવ્યું હતું કે, ઈદની નમાઝ મસ્જિદમાં અદા કરવા માટે પરવાનગી માંગતો પત્ર લખ્યો હતો. જો કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પરવાનગી આપી નથી. સરકારે જે 3 થી 4 લોકોને મસ્જિદમાં નમાઝ પડવાની છૂટ આપી છે. તેઓ ઈદની નમાઝ મસ્જિદમાં અદા કરી શકશે. મુફ્તી શબ્બીર અહેમદ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સમુદાય પર ખતરો કે ડર હોય તેવા માહોલમાં ઈદની નમાઝ વાજીબ નથી. જેથી મુસ્લિમ સમુદાયના લોકો ઘરે જ ઇદના દિવસે સૂરજ ઉગ્યાના 20 મિનિટ પછી 2 રકાત નફલ નમાઝ અલ્લાહના પ્યારા નબી મોહમ્મદ સાહેબની સુન્નત પ્રમાણે અદા કરે. આ બે રકાત નફલ નમાઝ બાદ અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લાઈલાહા ઇલલ્લાલાહો, વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વલ્લીલાહીલ હમ્દ 34 વાર પઢે.