#CoronaEffect: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે, પરંતુ દર્શન ઘેર બેઠા થશે - રથયાત્રા લોકોએ ઘરે TV પર જ નિહાડવી પડશે
કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહી તેના પર પ્રશ્નાર્થ સર્જાયો છે. પણ કેન્દ્ર સરકારે ઓડિશાના પુરીમાંથી નીકળતી જગન્નાથજીની રથયાત્રા માટે રથના નિર્માણને લીલીઝંડી આપી દીધી છે પણ કેટલાક નિયમોના પાલન કરવાના રહેશે. ત્યારે હવે આપણને એમ થાય કે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદથી નિકળે છે, તે રથયાત્રા નિકળશે કે કેમ તે સવાલ સૌ કોઇના મનમાં હતો. ત્યારે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું છે કે રથયાત્રા તો નીકળશે, પરંતુ તેમાં મંદિરના પૂજારી જ રહેશે.
![#CoronaEffect: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે, પરંતુ દર્શન ઘેર બેઠા થશે જગન્નાથજીની રથયાત્રા લોકોએ ઘરે TV પર જ નિહાડવી પડશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7152228-1040-7152228-1589189594304.jpg)
અમદાવાદ : ભારતમાં કોરોના વાઇરસ પોઝિટિવ કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમે છે અને તેમાં પણ અમદાવાદ હોટસ્પોટ વિસ્તારમાં આવે છે. હાલ અમદાવાદ ટોટલ શડડાઉનની સ્થિતિમાં છે. જગન્નાથ પુરીમાં રથયાત્રાના રથના નિર્માણની મંજૂરી આપી છે, પણ કેટલીક શરતોને આધીન. તો હવે અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહી.? આ તકે અમદાવાદના જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિર ટ્રસ્ટ રથયાત્રા અંગે 20મી મે એ નિર્ણય કરે છે. ટ્રસ્ટીઓ અમદાવાદની વર્તમાન સ્થિતિ અને સંજોગો અનૂકુળ જોઈને જે તે સમયે યોગ્ય નિર્ણય લેશે.