અમદાવાદઃ કોરોના વાઇરસનું સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે, ત્યારે શરૂઆતથી જ સંક્રમણને રોકવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રાખવામાં આવ્યું છે. હવે જ્યારે સરકાર દ્વારા લોકડાઉનની મુદત 3 મે થી લંબાવીને 17 મે કરાઈ છે, ત્યારે રેલવે મંત્રાલયે પણ પેસેન્જર ટ્રેનો 17 મે સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.
લોકડાઉન લંબાતા પેસેન્જર ટ્રેન 17 મે સુધી સ્થગિત - લોકડાઉન
કોરોનાના વધતા જતાં કહેરને ધ્યાને રાખીને સમગ્ર દેશમાં લોકડાઉન-3.0 લાદવામાં આવ્યું છે. આ લોકડાઉનને લંબાવીને 17 મે સુધી અમલમાં મૂકવામાં આવ્યું છે, ત્યારે આ કારણોસર પેસેન્જર ટ્રેન પણ રદ કરવામાં આવી છે.
![લોકડાઉન લંબાતા પેસેન્જર ટ્રેન 17 મે સુધી સ્થગિત Etv Bharat, Gujarati News, Ahmedabad News, Lockdown, Covid 19, Passenger Train](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7027176-410-7027176-1588402126674.jpg)
Passenger Train
વધુમાં કહીએ તો 17 મેં સુધી કોઈ પણ યાત્રી રેલવે સ્ટેશનની મુલાકાત ના લે તેવી સલાહ રેલવે બોર્ડ દ્વારા અપાઇ છે. જ્યારે લોકડાઉનમાં આવશ્યક ચીજ-વાસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન માટે માલવાહક ગાડીઓ ચાલુ રહેશે. જ્યારે પરપ્રાંતીય લોકો, યાત્રાળુઓ, વિધાર્થીઓ વગેરેને બીજા રાજ્યમાં લઇ જવા માટે ગૃહ મંત્રાલયની સૂચનાઓ પ્રમાણે રાજ્ય સરકારના આદેશ પ્રમાણે ટ્રેન ચલાવવામાં આવશે.