ગુજરાત

gujarat

પરિમલ નથવાણીની દરેક રાજકીય પક્ષોને અપીલ, જામનગરને આવા ઉમેદવાર ન આપતાં

By

Published : Nov 3, 2022, 9:57 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (GujaratElections2022 ) તારીખો જાહેર થઇ ગઇ છે. એવામાં મહત્ત્વના ખબર જામનગરના ઉમેદવારની પસંદગી ( Selection of candidate from Jamnagar) માટે સામે આવી રહ્યાં છે. ઉદ્યોગપતિ પરિમલ નથવાણી એ આ બાબતે અપીલ ( Parimal Nathwani appeal for candidate in Jamnagar ) કરતાં જણાવ્યું હતું કે જામનગરને ગુનાખોરીમાં ધકેલે તેવા ઉમેદવારો ન આપવામાં આવે.

પરિમલ નથવાણીની દરેક રાજકીય પક્ષોને અપીલ, જામનગરને આવા ઉમેદવાર ન આપતાં
પરિમલ નથવાણીની દરેક રાજકીય પક્ષોને અપીલ, જામનગરને આવા ઉમેદવાર ન આપતાં

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) બે તબક્કામાં 1 ડિસેમ્બર અને તા. 5 ડિસેમ્બર, 2022ના રોજ યોજવાની આજે ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી છે. રાજકીય પક્ષોએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા Gujarat Assembly Elections 2022 શરૂ કરી છે તેવા સમયે રાજ્યસભા સાંસદ અને રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ તમામ રાજકીય પક્ષોને જાહેર અપીલ ( Parimal Nathwani appeal for candidate in Jamnagar ) કરી છે કે જામનગરને ( Selection of candidate from Jamnagar)ગુનાખોરીમાં ધકેલે તેવા ઉમેદવારો ન આપતાં.

જામનગરના વિકાસ માટે જરુરી સમજદાર નેતાગીરીરીલાયન્સ કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણી પરિમલ નથવાણીએ ( Parimal Nathwani appeal for candidate in Jamnagar ) જણાવ્યું હતું કે, જામનગર શાંત સલામત અને ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપી વિકાસ કરતું શહેર છે. વિકાસની અપાર શક્યતાઓ છે. જામનગર રાષ્ટ્રીય-આતંરરાષ્ટ્રીય સત્રે ઝગમગવા થનગની રહ્યું છે, આ મહત્વપૂર્ણ સ્થિતિમાં શહેરને શ્રેષ્ઠ-શિક્ષિત-સંસ્કારી, સમજદાર નેતાગીરી ( Selection of candidate from Jamnagar)મળવી જોઇએ.

દરેક રાજકીય પક્ષોને અપીલ કરી નથવાણીએ દરેક પક્ષોને અપીલ ( Parimal Nathwani appeal for candidate in Jamnagar ) કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જામનગરને ગુંડાગીરીમાં હોમી દે તેવા ઉમેદવારો ન આપતા. નકારાત્મક અને ગુન્હાખોરીની વૃત્તિ અને ઇમેજ ધરાવતા નેતાઓને કોઇ પણ પક્ષે ટિકિટ Gujarat Assembly Elections 2022 આપવી ન જોઇએ. દરેક પક્ષોમાં સારા, તેજસ્વી, સકારાત્મક નોતાઓ ઘણાં હોય છે, આવા નેતાઓને ( Selection of candidate from Jamnagar)તક મળવી જોઇએ. જામનગરની શાંતિ-સલામતી-સમૃધ્ધિ-વિકાસની ગતિ અવરોધે તેવા નેતાઓને ઉમેદવાર ન બનાવતા.

ABOUT THE AUTHOR

...view details