ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓસમાન મીરના સૂરે રંગાયું કાંકરિયા કાર્નિવલ.... - અમદાવાદ ન્યૂઝ

અમદાવાદ: શહેરમાં 25 ડિસેમ્બરથી  કાંકરિયા કાર્નિવલ ચાલુ થયો છે. ત્યારથી લાખોની સંખ્યામાં લોકો આ કાર્નિવલમાં એકઠાં થઈ રહ્યાં છે. ત્યારે કાર્નિવલના છઠ્ઠા દિવસે ઓસમાન મીર ખાસ ઉપસ્થિત રહ્યાં છે. જેમના ગીતોની રમઝટથી માહોલ સંગીતમય બન્યો હતો.

ઓસમાન મીરના સૂરે રંગાયું કાંકરિયા કાર્નિવલ....
ઓસમાન મીરના સૂરે રંગાયું કાંકરિયા કાર્નિવલ....

By

Published : Dec 31, 2019, 8:52 PM IST

અમદાવાદવાસીઓ હાલ કાંકરિયા કાર્નિવલની મજા માણી રહ્યાં છે. ત્યાં લોકો માટે વિવિધ રાઈડ્સ અને LED લાઈટ સહિત અનેક સુવિધા કરવામાં આવી છે. તેમજ ‘સ્વામી રે માડી તેરી ચુનર’ અને ‘લાલ ઇશ્ક બની થનગાટ કરે’ વગેરે જેવા વગાડવામાં આવે છે. જે લોકોને ગરબા ગાવા માટે મજબૂર કરે છે.

ઓસમાન મીરના સૂરે રંગાયું કાંકરિયા કાર્નિવલ....

આ કર્નિવલના કારણે અમદાવાદ મોજમાં ડૂબેલું જોવા મળે છે. ત્યારે આ આનંદમાં અને 31ની ઉજવણીના હરખમાં વધારો કરવા કાર્નિવલના છ્ઠ્ઠા દિવસે ઓસમાન મીર ખાસ હાજર રહ્યાં હતા. જેમણે પોતાની ગીતોની રમઝટથી અમદાવાદને પોતાની ડોલાવ્યું હતું.

ઓસમાન મીરે Etv bharat સાથેની ખાસ વાતચીતમાં આવનાર પ્રોજક્ટ વિશે જણાવ્યું હતું. તેમજ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details