ગુજરાત

gujarat

By

Published : Jan 15, 2022, 8:27 PM IST

ETV Bharat / state

Organ donation in Gujarat: ઉત્તરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં 32મું અંગદાન

મકરસંક્રાંતિના પવિત્ર પર્વે દાનનો મહિમા મહત્વનો છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉત્તરાયણના દિને પ્રવર્તમાન સમયના સૌથી મોટા અંગદાનની વધુ એક ઘટના બની. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital ) છેલ્લાં 1 વર્ષમાં SOTTO અંતર્ગત 32 વ્યક્તિના અંગદાનમાં (Organ donation at the Civil Hospital )સફળતા મળી છે, જેના થકી 99 અંગોનું પ્રત્યારોપણ થયું છે અને 84 પીડિતોનુ જીવન બદલાયું છે.

Organ donation in Gujarat: ઉત્તરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં 32મું અંગદાન
Organ donation in Gujarat: ઉત્તરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં 32મું અંગદાન

અમદાવાદઃમકરસંક્રાંતિના પવિત્ર પર્વે દાનનો મહિમા મહત્વનો છે. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં પણ ઉત્તરાયણના દિવસે વિવિધ પ્રકારના દાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉત્તરાયણના દિને પ્રવર્તમાન સમયના સૌથી મોટા અંગદાનની વધુ એક ઘટના બની. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા મનિષાબેન બ્રેડ થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો(Organ donation in Gujarat ) હૃદયસ્પર્શી નિર્ણય કર્યો.

લોકો માટે પ્રેરણાસ્રોત બની રહેશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ની ટીમને મનીષાબહેનના લિવરનું દાન મેળવવામાં સફળતા મળી. સમાજના ભણેલા-ગણેલા, સમજદાર - શિક્ષિત અને સાધનસંપન્ન લોકોમા માનવસેવાનું આ ઉદાહરણીય અને ઉમદા કાર્ય આવનારા લાંબા સમય સુધી અન્ય કેટલાય લોકો માટે પ્રેરણાસ્રોત બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

પ્રયાસોના સુંદર પરિણામ પણ મળવા લાગ્યા

અંગદાનની તીવ્ર જરૂરિયાત ધરાવતાઆવા જરૂરિયાતમંદ દર્દીઓ પણ સામાન્ય માણસની જેમ ખુશીથી જીવી શકે તે માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગની સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ બ્રેઇનડૅડ થયેલ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું પ્રત્યારોપણ કરાવીને તેમને ખુશહાલ જીવન પ્રદાન કરવાનો માનવ સેવાનો યજ્ઞ છેડ્યો છે અને હવે આ પ્રયાસોના સુંદર પરિણામ પણ મળવા લાગ્યા છે.

32 વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Organ donation at the Civil Hospital ) છેલ્લાં 1 વર્ષમાં SOTTO અંતર્ગત 32 વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી 99 અંગોનું પ્રત્યારોપણ થયું છે અને 84 પીડિતોનુ જીવન બદલાયું છે. અત્રે ખાસ નોંધનીય છે કે, કોઇ પણ વ્યક્તિના અંગોનું દાન મેળવતા પૂર્વે વિવિધ ટૅસ્ટની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસરવાની હોય છે.આ પ્રક્રિયા બાદ જ અંગોનું દાન થઈ શકે છે.આ કારણોસર છેલ્લાં 1 વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે જે સફળતા મેળવી છે તે તબીબી વિજ્ઞાનની નજરે નોંધપાત્ર કહી શકાય છે.

સિવિલ હોસ્પિટલના માનવસેવાના નિઃસ્વાર્થ પ્રયાસોની પુષ્ટિ

ગુજરાતના આરોગ્ય વિભાગનો પ્રભાર ધરાવતા ઋષિકેશ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ જનકલ્યાણ અને લોકસેવાનો મંત્ર હૈયે રાખીને સદૈવ કાર્યરત્ અમદાવાદ સિવિલ હોસ્પિટલે સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ અંગદાન મેળવવામાં નેત્રદીપક કામગીરી કરી છે. ઉપરોક્ત બનાવ ગુજરાત સરકાર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના માનવસેવાના નિઃસ્વાર્થ પ્રયાસોની પુષ્ટિ કરે છે.

માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય

આખી ઘટના એવી છે કે મૂળ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મનીષાબહેન ગેડીયા ૧૧ જાન્યુઆરીના રોજ માથાના અસહ્ય દુખાવા અને શારીરિક નબળાઈની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. અહીંના તબીબોએ મનીષા બહેનની સારવાર કરીને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા. બ્રેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મનિષાબેન ના પરિવારજનોને અંગદાન માટે વિગતવાર સમજણ આપવામાં આવ્યા બાદ તેમના પરિવારજનોએ અંગોનું દાન કરી માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો.

આ પણ વાંચોઃNorth Korea missiles: ઉત્તર કોરિયાનો પ્રયાસ, બૈલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરી અમેરિકાને આપી ચેતવણી

અંગદાનની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી

સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. રાકેશ જોષી કહે છે કે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સતત પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ અંગદાનમાં જવલંત સફળતા મળી રહી છે. રિટ્રાઇવલ સેન્ટર શરૂ થયાના ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. વધુમા વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતી આવે અને આ અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યોરોપણ થાય અને તેમના જીવનની ગુણવત્તા, કાર્યક્ષમતામાં વધારો થાય તે દિશામાં અમારી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રયત્નશીલ છે એમ ડો. જોશીએ જણાવ્યું હતું.

માનવસેવા અને દાનપુણ્યનો વિશેષ મહિમા

કોઇના દર્દથી મુરઝાયેલા ચહેરા પર મુસ્કાન રેલાવવી એક માનવસેવાનું કાર્ય છે. ગુજરાતની સંસ્કૃતિમાં તો માનવસેવા અને દાનપુણ્યનો વિશેષ મહિમા છે. 21મી સદીમાં તો કોઇને અંગોનું દાન કરીને જીવન પ્રદાન કરવું એ ખુબ જ મોટું સત્કર્મ ગણવામાં આવ્યું છે. ખાસ કરીને જેના શરીરનું કોઇ અંગ કામ કરતું બંધ થઈ ગયું હોય તેવી વ્યક્તિના જીવનમાં તો સાવ સાદી ખુશી પણ મહત્વની હોય છે. આજના આધુનિક સમયમાં ગુજરાત સરકારના પ્રયાસોના લીધે અંગદાન હવે વધુ સરળ બન્યું છે તેવા સમયે હવે સમાજમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ વધે તે આજની ઘડીની આવશ્યક્તા છે.

આ પણ વાંચોઃThreatening letter to Shankaracharya: તાલિબાનના નામે શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમને મળ્યો ધમકીભર્યો પત્ર

ABOUT THE AUTHOR

...view details