ન્યુઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વીડિયો મારફર તમામ અટકળોનો અંત લાવી દીધો છે. તેમણે જણાવ્યુ હતું કે, " ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં 4 કોંગ્રેસના ધારાસભ્યોએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યા છે,તેમણે સ્વૈચ્છિક રાજીનામા આપ્યા હોવાથી મેં આ રાજીનામાનો સ્વીકાર કર્યો છે.વિધાનસભા અધ્યક્ષે ઉમેર્યું કે આ ચારેય કોગ્રેસના ધારાસભ્યઓએ મને રૂબરૂ આવીને સ્વૈચ્છિક રાજીનામા આપ્યા છે, જેનું યોગ્ય વેરિફિકેશન કર્યાં બાદ મેં સ્વીકાર કર્યો છે. હવે તેઓ ધારાસભ્ય રહેતા નથી."
રાજીનામા આપનાર ચાર ધારાસભ્યોમાં. જે.વી. કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, મંગળ ગાવિત , સોમા પટેલના નામનો સમાવેશ થાય છે.
ચાર ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસના ધારાસભ્યનો સંખ્યા ઘટી છે. કોંગ્રેસના કુલ 73 ધારાસભ્યો પૈકી હવે માત્ર 69 ધારાસભ્યો રાજ્યસભા ચૂંટણીમાં મતદાન માટે લાયક છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના બે માંથી માત્ર એક જ ઉમેદવાર ચૂંટણીનો જંગ જીતી શકે.