અમદાવાદઃ2019ના અત્યંત વિવાદાસ્પદ નિત્યાનંદ કેસમાં (Nityananda Ashram controversy) બે ગુમ થયેલી યુવતીઓ લોપામુદ્રા અને નંદિતાના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court)હેબિયસ કોપર્સ નોંધાવી હતી અને દાવો કર્યો હતો કે તેની દીકરીઓને બળજબરીથી ગોંધી રાખવામાં આવી છે. તેનું અપહરણ કરવામાં આવ્યું છે.
દબાણ અનુભવી રહી હોય એવું લાગી રહ્યું છે
આ કેસમાં અરજદારના વકીલ પ્રિતેશ શાહે જણાવ્યું કે, બંને યુવતીઓએ વિદેશમાં આવેલ ભારતીય દુતાવાસમાંથી(Embassy of India) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાઇકોર્ટ સમક્ષ હાજર થવા માટે ઇનકારકરી દીધો છે. એટલું જ નહીં બંને યુવતીઓ યુનાઇટેડ નેશનમાં આવેલા ભારતીય હાઈ કમિશન સમક્ષ હાજર થશે અન્ય કોઈ ભારતીય દૂતાવાસમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર નહીં એવું જણાવવાવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ બધું જ નિત્યાનંદના દબાણ અને ફન્ડિંગથી દીકરીઓને ગુમરાહ કરાઈ રહી હોવાની ભીતિ પણ વકીલે કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. આ બંને યુવતીઓ અનસેફ છે, અને કોઈનું દબાણ અનુભવી રહી હોય એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃનિત્યાનંદ કેસ : હાઈકોર્ટ બન્ને યુવતીઓને વીડિયો કોલ મારફતે સાંભળી શકે છે