અમદાવાદઃ NCP નેતા રેશ્મા પટેલ આ મુદ્દે જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા કોરોનાના સમયમાં પણ નાગરિકોને લૂંટવામાં આવે છે. લોકડાઉનમાં લોકો પાસે કામ નથી અને આવક પણ નથી. ત્યારે આવો તોતિંગ દંડ ઝીંકવો ખૂબ જ અન્યાયી છે. ખરેખર જો સરકારે કોરોના વાઈરસના સંક્રમણને રોકવા લોકોને માસ્ક પહેરતા કરવા હોય તો પાંચ રુપિયાના માસ્ક તેઓ મફતમાં પણ આપી શકે છે. પરંતુ સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસને દંડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવે છે.
અમદાવાદમાં માસ્ક ન પહેરનારા નાગરિકો પાસેથી તોતિંગ દંડ વસૂલાતા NCPએ કર્યો વિરોધ - વિરોધ પક્ષના ધારાસભ્યોને ખરીદવા
ગુજરાતમાં કોરોનાવાઈરસના કેસનો આંકડો 47000ની પાર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદમાં આ આંકડો 24,000ની પાર પહોંચ્યો છે. પરંતુ તેમ છતાંય નાગરિકોમાં જાગૃતતા જોવા મળતી નથી અને લોકડાઉન ખુલતા જ કેટલાય નાગરિકો માસ્ક વગર રોડ પર ફરતા જોવા મળે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા નાગરિકો પાસેથી 500 રુપીયાનો તોતિંગ દંડ વસૂલવામાં આવે છે. તેના વિરોધમાં NCPના મહિલા મોરચાના અધ્યક્ષ રેશ્મા પટેલની આગેવાનીમાં રવિવારના અમદાવાદના ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસે નાગરિકોને માસ્ક વિતરણ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
![અમદાવાદમાં માસ્ક ન પહેરનારા નાગરિકો પાસેથી તોતિંગ દંડ વસૂલાતા NCPએ કર્યો વિરોધ અમદાવાદમાં માસ્ક ન પહેરનાર નાગરિકો પાસેથી તોતિંગ દંડ વસૂલાતા NCPએ કર્યો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8088057-1049-8088057-1595156403999.jpg)
અમદાવાદમાં માસ્ક ન પહેરનાર નાગરિકો પાસેથી તોતિંગ દંડ વસૂલાતા NCPએ કર્યો વિરોધ
રેશ્મા પટેલે આક્ષેપ લગાવ્યો હતો કે, ભાજપ દ્વારા લોકોના ઉઘરાવેલા દંડના પૈસાનો ઉપયોગ વિરોધ પક્ષના ધારાસભ્યોને ખરીદવા માટે થાય છે.
મહત્વનું છે કે આ વિરોધમાં NCPના નેતાઓ દ્વારા સરકારના વિરોધ કરવામાં ભુલી ગયા હતા કે તેઓ સરકારની ગાઇડલાઇનને તોડી રહ્યા છે. સરકાર દ્વારા 2 ગજની દૂરી રાખવાનું જણાવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં માસ્ક ન પહેરનાર નાગરિકો પાસેથી તોતિંગ દંડ વસૂલાતા NCPએ કર્યો વિરોધ