ગુજરાત

gujarat

ETV Bharat / state

બેરોજગારી અને અટવાયેલી સરકારી ભરતી પ્રક્રિયા સામે આંદોલન

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતી ટલ્લે ચડેલી છે. મંદીના કારણે લાખ યુવાનો બેરોજગાર છે, ત્યારે સરકારને ભીંસમાં લેવા બેરોજગારના મુદ્દાને લઈને આંદોલનના મંડાણ થઈ રહ્યા છે.

By

Published : Mar 6, 2020, 12:01 AM IST

Updated : Mar 6, 2020, 7:32 AM IST

બેરોજગારી અને અટવાયેલા સરકારી ભરતી પ્રક્રિયા સામે આંદોલન
બેરોજગારી અને અટવાયેલા સરકારી ભરતી પ્રક્રિયા સામે આંદોલન

અમદાવાદઃ બેરોજગારીના મુદ્દાને લઈને બિન સચિવાલય ક્લાર્ક આંદોલનના હિરો યુવરાજસિંહ જાડેજા સહિતના જન અધિકાર મંચના અગ્રણીઓ 17 તારીખે ગાંધીનગરમાં બેરોજગાર મહા આંદોલન કરશે, તો વિધાનસભા તરફ કૂચ કરશે.

બેરોજગારી અને અટવાયેલા સરકારી ભરતી પ્રક્રિયા સામે આંદોલન

આ માટે તેમને સરકારી ભરતીની તમામ પ્રક્રિયાઓ 16 તારીખ સુધીમાં પૂર્ણ કરવાનું સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ સરકારને કહ્યું છે કે, બે મહિનાની અંદર તેઓ બિન સચિવાલયની નવી ભરતીની જાહેરાત કરે. તો હિતેશ પટેલે કહ્યું છે કે, ટેટ ટાટની ભરતી પણ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે, જો ઉપરોક્ત માગણીઓ નહીં સંતોષાય તો 17 તારીખે બેરોજગાર યુવાનો ગાંધીનગર ખાતે પોતાની ડિગ્રીઓ સરકારને પાછી આપશે અને પોતાના શિક્ષાનો ખર્ચ પણ પરત માગશે.

Last Updated : Mar 6, 2020, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details