અમદાવાદ:કોયરબ આશ્રમ ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (OCI) અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતીક છે, જેમણે તેને ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના પ્રતીક અને ગ્રામીણ ભારતને સશક્તિકરણના સાધન તરીકે લોકપ્રિય બનાવ્યું હતું. જક્ષય શાહ, ચેરપર્સન, QCI અને શ્રી મનોજ કુમાર, ચેરપર્સન, KVICની ઉપસ્થિતિમાં એમઓયુ કરવામાં આવ્યા હતા.
ક્વોલિટી & સસ્ટેનેબિલિટીનું પ્રતીક બનશે ખાદી:ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે 'મેડ ઈન ઈન્ડિયા' લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડબ્રેકિંગ સહયોગ શરૂ કર્યો, જે માનનીય વડાપ્રધાનનરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના પ્રતીક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે. QCI અને KVIC વચ્ચેનો સહયોગ વિકસીત ભારત માટેનો માર્ગ મોકળો કરવાના હેતુથી ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેની કાલાતીત અપીલને જાળવી રાખે નહીં પણ ક્વોલિટી & સસ્ટેનેબિલિટીનું વૈશ્વિક પ્રતીક પણ બને.