- સર મુબારક દરગાહ ધંધુકા ખાતે મહામેગા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
- વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત કુલ 609 વ્યક્તિઓએ લીધી વેક્સિન
- મુસ્લિમ સમાજના યુવાવર્ગનો વેક્સિન લેવા ધસારો
અમદાવાદઃ ધંધુકા ખાતે આવેલા સર મુબારક બુખારી દાદાની દરગાહ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના 18 થી 44 વર્ષની વય અને 45 વર્ષથી વધુ વયના કુલ 609 વ્યક્તિઓએ વેક્સિન લીધી હતી. જેમાં મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ કોરોના જેવા રોગને ડામવા ઉત્સાહભેર ભાગ લઈ વેક્સિન લીધી હતી.
આ પણ વાંચોઃCorona Vaccine: ગાંધીનગરમાં રોજના 5,000 વેક્સિનની જરૂરિયાત સામે માત્ર 2,500 ડોઝ અવેલેબલ
સર મુબારક દરગાહ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
સર મુબારક દરગાહ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજવા સર મુબારક દરગાહના મુંજાવર બાપુ, ડૉ.સિરાજ દેસાઈ, મોહમ્મદ રજા બુખારી બાપુ, રાજુ બાપુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળ્યા બાદ દરગાહ ખાતે વેક્સિનેશન કાર્યક્રમ યોજવા નક્કી થયા પ્રમાણે વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ પોતાની સલામતી માટે વેક્સિનેશન કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાઈ મોટી સંખ્યામાં વેક્સિન લીધી હતી." મુસ્લિમ સમાજના યુવાવર્ગનો વેક્સિન લેવા ધસારો" વેક્સિનેશન દર માણસો સતત સેવાકીય પ્રવૃત્તિ કરી વેક્સિન લેવા અંતર્ગત મદદરૂપ થઈ રહ્યા હતા. મિયાન સર મુબારકના ખાદીમ રાજુ બાપુ તેમજ અન્ય સમાજના કાર્યકરો સમાજના સેવાભાવર દિનેશભાઈ પટેલ પણ વેક્સિન લેવા આવનાર ભાઈઓ બહેનોને અગવડતાએ માર્ગદર્શક્ બની લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરતા લોકો વચ્ચે દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે. વેક્સિનેશન કાર્યક્રમમાં અર્બન હોસ્પિટલ ધંધુકાના ઇન્ચાર્જ ડૉ. સિરાજ દેસાઈ, નર્સિંગ સ્ટાફમાં અનિતાબેન અસારી, સોનલબેન તેમજ અન્ય કર્મચારીઓ જોડાઈ વેક્સિનેશન અંતર્ગત સરાહનિય કામગીરી કરી હતી.
આ પણ વાંચોઃVaccination campaign :વેક્સિન સેન્ટર પર આયોજનનો અભાવ, લોકો થયા પરેશાન