ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસ સંદર્ભે અમદાવાદ શહેરના નાગરિકોને મેયરનું સંબોધન - Prime Minister Narendra Modi spoke about the Janata curfew on March 22

અમદાવાદ શહેરના પ્રથમ વ્યક્તિ તરીકે મેયર બિજલ પટેલે કોરોના વાઈરસ સંદર્ભે શહેરના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા કહ્યું હતું.

કોરોના વાયરસ સંદર્ભે અમદાવાદ શહેરના નાગરિકોને મેયરનું સંબોધન
કોરોના વાયરસ સંદર્ભે અમદાવાદ શહેરના નાગરિકોને મેયરનું સંબોધન

By

Published : Mar 20, 2020, 11:40 PM IST

અમદાવાદઃ શહેરના મેયર જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમજ આવનારા સમયમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ બજારમાં મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જે જનતા કરફ્યુની વાત કરી છે. તેને આપણે સૌ શહેરીજનો વધાવીએ અને ઘરમાં જ રહીને કોરોના વાયરસને અટકાવવામાં મદદરૂપ થઈએ.

કોરોના વાઈરસ સંદર્ભે અમદાવાદ શહેરના નાગરિકોને મેયરનું સંબોધન
મેયરે શહેરીજનોને આશ્વાસન આપ્યું હતું કે, આપણે એકબીજાના સાથ-સહકારથી કોરોના વાયરસ પર જરૂર વિજય મેળવીશું. પરંતુ એક સાચા નાગરિક તરીકે જાગૃત રહેવાની અને અફવાઓથી દૂરની આપણી પહેલી ફરજ છે.

ABOUT THE AUTHOR

...view details