- 24 વર્ષની પરિણીતા સગીર પ્રેમીને લઈ થઈ ફરાર
- પતિ સાથે અણબનાવ થતા પ્રેમી સગીર સાથે ભાગી મહિલા
- પ્રેમી પંખીડાને પકડી પાડતા અનેક ખુલાસા
અમદાવાદઃ શહેરમાં અત્યાર સુધીમાં અંગત અદાવતમાં અપહરણ થતા હતા. જ્યારે ફિલ્મી સ્ટોરી જેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ હતી. જોકે ગણતરીના દિવસોમાં બને પ્રેમી પંખીડાને પકડી લાવામાં આવ્યા હતા અને ખુલાસા થયા હતા. પતિ સાથે અણ બનાવ થતા પ્રમી સગીરને લઇને ભાગી ગઇ હતી.
આ પણ વાંચોઃRape case in Jamnagar : યુવતીનું અપહરણ-દુષ્કર્મ કરનારા પાંખડી સાધુને પોલીસે ઝડપી પાડ્યો
શું છે સમગ્ર મામલો ?
24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ હતી જે મહિલા ત્રણ સંતાનોની માતા છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા તેના ઘરેથી નીકળી મણિનગર(Maninagar) વિસ્તાર માં આવી અને થોડા સમય પહેલા તે જે સગીરના પ્રેમમાં પડી હતી. તેને મળી બાદમાં તે આ સગીરને લઈને ભાગી ગઈ હતી. જ્યારે સગીર ગુમ થતા મણિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. બીજીતરફ ખોખરામાં પણ આ મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ થઈ હતી.