ગુજરાત

gujarat

By

Published : Jul 22, 2020, 5:21 AM IST

ETV Bharat / state

ગેસની સબસીડી બંધ કરવામાં આવતા કોંગ્રેસના સરકાર પર પ્રહાર

દેશમાં કોરોના વાઇરસની મહામારીના કારણે આજે આખો દેશ ઝઝૂમી રહ્યો છે. તેવામાં કોરોનાના કાળમાં ગેસની સબસીડી બંધ કરવામાં આવતા ભાજપ ઉપર કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે.

ગેસની સબસીડી બંધ કરવામાં આવતા કોંગ્રેસના સરકાર પર પ્રહાર
ગેસની સબસીડી બંધ કરવામાં આવતા કોંગ્રેસના સરકાર પર પ્રહાર

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં સામાન્ય લોકોના ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા છે. ઉપરથી મોંઘવારી ફાટી નીકળતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે રાંધણ ગેસની સબસીડી બંધ કરવા મામલે કોંગ્રેસે ભાજપની ઝાટકણી કાઢી હતી.

ગેસની સબસીડી બંધ કરવામાં આવતા કોંગ્રેસના સરકાર પર પ્રહાર

ભાજપ સરકારની જન વિરોધી નિતી પર કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી સરકારને આડે હાથે લેતા જણાવ્યું કે મોંઘવારી, કાળાબજાર, સંગ્રહખોરી રોકવામાં ભાજપ સરકાર સદંતરે નિષ્ફળ નીવડી છે. ગરીબ અને મધ્યમવર્ગના મતોથી ચૂંટાયેલી સરકાર તેઓને જ ભૂલી ગઈ છે. સરકારમાં આવ્યા બાદ ભાજપે ગરીબ અને મધ્યમવર્ગ પર મોંઘવારી થોપી દેતા જનતાનો મરો થઈ રહ્યો છે.

જો.કે કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 3 મહિનાથી સરકારે ગેસની સબસીડી બંધ કરી દીધી છે, જે ખોટું છે. ગુજરાતના 93 લાખ પરિવારોની કોરોનાકાળમાં મુશ્કેલી વધારી દેનાર સરકારની નીતિરિતી ખુબ જ ગંભીર બાબત છે.

ABOUT THE AUTHOR

...view details