ગુજરાત

gujarat

સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોના મતે લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન-બી લાઇફ સેવિંગ ઇન્જેકશન

By

Published : May 27, 2021, 2:19 PM IST

કોરોના વાયરસ પછી મ્યુકોરમાયકોસીસની બિમારીએ જોર પકડ્યું છે. પોસ્ટ કોવિડ દર્દીઓ ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ દર્દીઓમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા જણાવવામાં આવ્યું કે, મ્યુકોરમાયકોસીસની સારવાર માટે અત્યારે એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન દ્વારા સારવાર આપવામાં આવે છે. જે ઈન્જેક્શન જીવનરક્ષક બન્યા છે.

સિવિલ હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલ

  • એમ્ફોટેરેસીન બી ઇન્જેકસનમાં બે પ્રકારના ઇન્જેકશનનો વ્યાપક ઉપયોગ
  • લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન અને લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જકેશનનો સમાવેશ
  • ઇન્જેકશન શરીરમાં પ્રવેશે ત્યારે કિડની પર સામાન્ય દબાણ ઉદભવે

અમદાવાદ : એમ્ફોટેરેસીન બી ઇન્જેકસનમાં બે પ્રકારના ઇન્જેકશનનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળે છે. જેમાં લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન અને લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જકેશનનો સમાવેશ થાય છે. બન્ને ઇન્જેકશન શરીરમાં રહેલ મ્યુકોરમાયકોસીસ ફંગસનો જડમૂળથી નાશ કરવા કારગર સાબિત થયા છે. શરીરમાં આ ઇન્જેકશનના ઉપયોગથી શરીરના વિવિધ ભાગમાં રહેલ મ્યુકર ફંગસને જડમૂળમાંથી નાશ કરવાનું કામ આ ઇન્જેકશન કરે છે.

દુ:ખાવાની અન્ય મેડિસીન એટલે કે પેઇનકિલરની પણ મહદઅંશે કિડની પર અસર

લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન ઇન્જેકશન પ્રત્યે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. લાયોફિલાઇઝ ઇન્જેકશનના ઉપયોગ કરવાથી કિડનીને નુકશાન પહોંચે છે. કિડની ફેઇલ થઇ જાય છે તેવી ચર્ચાઓ લોકમુખે છે. સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે, શરીરમાં કોઇપણ પ્રકારના દુ:ખાવાની અન્ય મેડિસીન એટલે કે પેઇનકિલરની પણ મહદઅંશે કિડની અથવા અન્ય અંગો પર અસર થતી હોય છે. જે લાંબાગાળે માનવશરીરમાં જોવા મળે છે. લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન ઇન્જેકશન લેવાથી ચોક્કસપણે કિડની ફેઇલ થઇ જતી નથી કે, કિડની પર તીવ્ર આડઅસર થતી નથી. આ પ્રકારના કિસ્સા જૂજ પ્રમાણમાં જોવા મળ્યા છે. આ ઇન્જેકશન શરીરમાં પ્રવેશે ત્યારે કિડની પર સામાન્ય દબાણ ઉદભવે છે.
આ પણ વાંચો : વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખાનગી અને સરકારી તબીબો સાથે કાર્ય કરી દર્દીઓનો જીવ બચાવ્યો

કિડનીની બિમારી મ્યુકરના દર્દીઓ ઉપર સામાન્ય અસર થવાની સંભાવનાકોમોર્બિડ અને કિડનીની બિમારી અગાઉથી ધરાવતા મ્યુકરના દર્દીઓ ઉપર જ આ પ્રકારના ઇન્જેકશનની સામાન્ય અસર થવાની સંભાવના રહેલી હોય છે. આ ઇન્જેકશન શરીરમાં ફંગસનો નાશ કરતી વખતે જ્યારે પ્રવેશે છે ત્યારે અન્ય ભાગ ખાસ કરીને કિડની ઉપર સમાન્ય અસર વર્તાવવાની સંભાવના રહેલી હોય છે.

દર્દીમાં રોગની ગંભીરતાના આધારે ટોક્સીક લેવલ નિર્ધારીત કરાય

આપણે શરીરમાં રહેલા ક્રિએટીનીન લેવલના માપદંડોથી જોઇ શકીએ છીએ. લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન ફંગસનો નાશ કરે છે. આ ઇન્જેકશનની કિડની પર ભયાનક આડઅસર જૂજ કિસ્સામાં જ વર્તાય છે. દર્દીના શરીરની જરૂરિયાત અને દરેક દર્દીમાં રોગની ગંભીરતાના આધારે ટોક્સીક લેવલ નિર્ધારીત કરવામાં આવે છે.

આ પણ વાંચો : લોકડાઉન દરમિયાન સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા 13 વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી 'અનલોક' કરાયો

ઇન્જેકશન લાઇફ સેવિંગ ડ્રગ એટલે કે જીવનરક્ષક ઇન્જેકશન તરીકેનું કાર્ય

ઇન્જેકશનનો ડોઝ નક્કી કરવામાં આવે છે. જેના કારણોસર અસામાન્ય પરિણામોથી બચી શકાય છે. એમ્ફોટેરેસીન ઇન્જેકશન સિવાય અન્ય કોઇ અસરકારક ઇન્જેકશન ઉપલબ્ધ ન હોય અને આ ઇન્જેકશન લાઇફ સેવિંગ ડ્રગ એટલે કે જીવનરક્ષક ઇન્જેકશન તરીકે કાર્ય કરતું તબીબો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઇન્જેકશનની કિડની પર સામાન્ય અસર થતી જોવા મળે
લાયોફીલાઇઝ એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન સામાન્યપણે જે સ્વરૂપમાં બનાવવામાં આવ્યું હોય તે મૂળ સ્વરૂપમાં જ મિશ્ર થઇને શરીરમાં પ્રવેશે છે. શરીરમાં જ્યારે તેની અસર વર્તાય ત્યારે ફંગસ થયેલા ભાગ પર પહોંચતી વખતે કિડની મારફતે થઇ તે ફંગસના ભાગ સુધી પહોંચે છે. આવા કિસ્સામાં આ ઇન્જેકશનની કિડની પર સામાન્ય અસર થતી જોવા મળે છે. અતિગંભીર અને કિડની ફેલ્યોરના કિસ્સા જૂજ પ્રમાણમાં જ જોવા મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details