ગુજરાત

gujarat

વિરમગામમાં શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરાયું

By

Published : Mar 23, 2021, 5:36 PM IST

તારીખ 23 માર્ચ એટલે શહીદ દિન આજના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. ત્યારે વિરમગામમાં ક્રાંતિકારી દળ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિરમગામમાં શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરાયું
વિરમગામમાં શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરાયું

  • 23 માર્ચ એટલે શહીદ દિન
  • ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી
  • શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે ક્રાંતિકારી યાત્રાનું કરાયું હતું આયોજન

અમદાવાદઃ આજરોજ તારીખ 23 માર્ચના રોજ શહીદ દિવસ છે. ત્યારે શહીદ દિવસ નિમિત્તે વિરમગામમાં ભગતસિંહ કાંતિકારી દળ દ્વારા ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના ભરવાડી દરવાજાથી ટાવર ચોક ગોલવાડી દરવાજાથી શેઠ એમ. જે. હાઇસ્કૂલ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિરમગામમાં શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરાયું

આ પણ વાચોઃ આજે 23 માર્ચ શહીદ દિવસે ભાજપ દ્વારા વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

શહીદોને શ્રદ્ધાંજલિ રૂપી ક્રાંતિકારી યાત્રાનું આયોજન

તારીખ 23 માર્ચના રોજ આઝાદીના લડવૈયા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહ કાંતિકારી દળ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ રૂપી ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિરમગામમાં શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારી યાત્રાનું આયોજન કરાયું

ABOUT THE AUTHOR

...view details