ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંકરિયા ડિસ્કવરી રાઈડ્સ કેસઃ આરોપીઓના જામીન મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો - gujarati news

અમદાવાદઃ કાંકરિયા એડન્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી રાઈડ્સ તુટતા બે લોકોના મોત થયા હતા. આ કેસમાં સંચાલક ઘનશ્યામ પટેલ સહિત 6 આરોપીઓના સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા હતા. જે બાદ ભાવેશ પટેલ, મનીષ વાઘેલા અને કિશન મહંતીએ જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરતા સોમવારે જસ્ટીસ વિપુલ પંચોલીએ આ મુદ્દે રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. જેની વધુ સુનાવણી 26મી ઓગસ્ટના રોજ હાથ ધરાશે.

High Court

By

Published : Aug 5, 2019, 7:49 PM IST

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓના જામીન ફગાવી દેતા 31મી જુલાઈના રોજ તમામ 6 આરોપીઓ જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. હાલ કાંકરિયા એન્ડવેન્ચર પાર્કના સંચાલક ઘનશ્યામ પટેલ, તુષાર ચોક્સી સહિત અન્ય 3 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી બાકી છે જે અગામી દિવસોમાં હાથ ધરાશે.

અગાઉ સેશન્સ કોર્ટમાં જસ્ટીસ વી.જે. કાલોતરાની કોર્ટમાં સરકારી સુધીર બ્રહ્મભટ્ટે રજુઆત કરી હતી કે, સંચાલક ઘનશ્યામ પટેલે પાસે કોઈ ડિગ્રી નથી અને SOPના નિયમ વિરૂદ્ધ એસેમ્બલ કરીને રાઈડ્સ બનાવવામાં આવી હતી. મેનેજર તુષાર ચોક્સી અને યશ વિકાસ ઉર્ફે લાલાએ રાઈડનું સંચાલન કરવા બાબતે કોઈ જ પ્રકારની ટ્રેનિંગ લીધી ન હતી, જેથી આરોપીઓની બેદરકારીને લીધે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી. સાથે જ આરોપી લાલાએ એન્જીનિયરની પોઝિશન પર કાર્યરત હતો તેણે એન્જીનિયરિંગની કોઈ ડિગ્રી મેળવી નથી. FSL રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડિસ્કવરી રાઈડની પાઈપ પણ કાટી ગઈ હકી જે સપષ્ટતા આપે છે કે, તેનું રેગ્યુલર મોનિટરિંગ થતું નથી.

આરોપીઓ સધ્ધર અને શ્રીમત ઘરમાંથી આવતા હોવાથી જો જામીન આપવામાં આવે તો, કેસના સાક્ષીઓ પર અસર થઈ શકે છે. રાઈડ્સમાં 24 જેટલી આઈટમની પોલીસ મંજુરી લેવામાં આવી છે જ્યારે અન્ય એક આઈટમની પરવાનગી લીધા વગર જાતે ઉમેરી દેવામાં આવી છે. આ મુદ્દે આરોપીઓના વકીલ એમ.જે પંચાલે રજુઆત કરી હતી કે, આરોપીઓ તદ્દન નિર્દોષ છે. આવી કોઈ દુર્ઘટના સર્જાશે તે તેઓ જાણતા ન હતા અને આરોપીઓએ જાણી જોઈને આવી કોઈ દુર્ઘટના સર્જાય તેવું કોઈ કાવતરૂ ઘડ્યું નથી.

પોલીસ FIRમાં આરોપીઓ વિરૂદ્ધ IPCની કલમ-304 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે જે ખોટી છે તેવી આરોપીના વકીલે દલીલ કરી હતી. જેથી આરોપીઓ વિરુદ્ધ જે કેસ ચાલી રહ્યો છે તે જામીનપાત્ર ગુનો છે.

ABOUT THE AUTHOR

...view details