ગુજરાત

gujarat

લોકસભા ચૂંટણીની ખાસ રણનીતિ ઘડવા BJP મીડિયા સેલની યોજાઇ બેઠક

By

Published : Mar 27, 2019, 7:36 PM IST

અમદાવાદ: લોકસભા 2019ને ધ્યાનમાં લઇને ભાજપ પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, કોબા ખાતે આવેલા કમલમ્ ખાતે 'મિશન 26' લક્ષ્યને પાર પાડવા માટે ખાસ રણનિતી ઘડવા BJP મીડિયા સેલની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, ભાજપ પક્ષમાંથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

જીતુ વાઘાણીનું નિવેદન

ગુજરાત રાજ્યમાંલોકસભાની 26 સીટ ફરીથી જીતવાના નીર્ધાર સાથે BJP એડીચોટીનું જોર લગાવી રહી છે.ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ BJPના લક્ષ્યનેપૂરૂનથવા દેવા માટે ખાસ રણનીતિ બનાવી જાતિગત સમીકરણનું ગણિત ગણી ઓછામાં ઓછી 10 બેઠકો જીતવાનો લક્ષ્ય મૂકી નરેન્દ્ર મોદીના 'મિશન 26' પર ન પહોંચવા દેવા માટે કામ કરી રહી છે. પણ મોદીની સફળતા પાછળ સૌથી મહત્વનો ભાગ મીડિયાએ ભજવ્યો છે, એટલે જ BJPહંમેશામાટે મીડિયા સેલને એક્ટિવ રાખી રહી છે. આ રણનીતિનાભાગ રૂપે ગુજરાતમાં 'મિશન 26' પાર પાડવા અત્યારે BJPમીડિયા સેલ મજબૂત રીતે કામ કરે એ રણનીતિને લઈને કામ કરી રહ્યો છે. જેના ભાગ રૂપે કમલમ કોબા ખાતે BJP મીડિયા સેલ કન્વીનરોની મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આઈ.જે.જાડેજા ભરત પંડ્યા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ સિવાય BJPના જિલ્લા પ્રમુખ હોદ્દેદારો સાથે BJP મીડિયા સેલના કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

જીતુ વાઘાણી પ્રેસકૉન્ફરન્સ

મીડિયા સેલના આ કાર્યક્રમનું દીપ પ્રાગટયથી શુભારંભ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમના સંબોધનમાં વ્યક્તિની જાગૃતતા અને લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી તેમામતદારોને પક્ષ તરફ મતદાન કરવા અને એક જાગૃત નાગરિકને યોગ્ય પક્ષને મત આપવા માટે મીડિયા સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આજે આપણી બીજેપીએ ઉમેદવાર પણ નક્કી કરી દીધા પણ હજુ કોંગ્રેસમાં ઠેકાણા પણ નથી.

બીજેપીમાં 'બેગાનીશાદી મૈ અબ્દુલ્લા દિવાના' અમુક સીટ ઉપર ભલે ઉમેદવાર નક્કી થયા નથી. પણ આપણા કાર્યકર્તાએ લોકસંપર્ક અભિયાન શરૂ કરી પ્રચાર પણ આરંભી દીધો છે. જ્યારે સામે પક્ષ હજુ કશું નક્કી થઈ શકતું નથી. કારણ કે,કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે. એમને પક્ષમાં એક જ પરિવાર જ મહાન છે. જ્યારે બીજેપીમાં કાર્યકર્તા મહાન છે. એટલા માટે જ આજે નરેન્દ્ર ભાઈ જેવા કાર્યકર્તા દેશના વડાપ્રધાન બની દેશની સેવા કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણીમાં મીડિયા સક્રિય રહી ફરી ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બને તેમાટે આપણા મીડિયા સેલની ભૂમિકા મહત્વની છે, એ પછી સોશિયલ મીડિયા હોય કે TVમીડિયા કે પ્રિન્ટ મીડિયા હોય.

ABOUT THE AUTHOR

...view details