ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય: ધોળકા બાદ સાણંદ તાલુકામાં પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 200ને પાર થયો - અમદાવાદ ન્યૂઝ

કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જાય છે, ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. જેમાં હાલમાં ધોળકા બાદ સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 200ને પાર પહોચ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સાંજ સુધીમાં નવા 12 કેસ નોંધાતા કુલ આંકડો 946 પર પહોંચ્યો છે. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ગ્રામ્ય : ધોળકા બાદ સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 200ને પાર
અમદાવાદ ગ્રામ્ય : ધોળકા બાદ સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 200ને પાર

By

Published : Jul 11, 2020, 8:19 PM IST

  • અમદાવાદ ગ્રામ્ય: ધોળકા બાદ સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 200ને પાર
  • શનિવારે એક દિવસમાં નવા 12 કેસ નોંધાતા કુલ આંકડો 946 પર
  • છેલ્લા 24 કલાકમાં 28 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું
  • 1.37 લાખ લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું
  • 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સાંજ સુધીમાં નવા 12 કેસ નોંધાતા કુલ આંકડો 946 પર પહોંચ્યો છે.

અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવનો કુલ આંકડો 200ને પાર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 268 અને સાણંદમાં 204 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 182, બાવળામાં 97 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 29, વિરમગામ 106, બાવળા -97 અને માંડલ તાલુકામાં 32 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 57 દર્દીઓના મોત નિપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.37 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 28 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝ ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 268 અને સાણંદમાં 204 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details