- વિરમગામમાં અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો
- બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ ભાજપ કાર્યકરોની હત્યા થઈ તેના અનુસંધાને ધારણા કર્યા
- ધારણા કાર્યક્રમમા અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદ ગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ બાદ અનેક જગ્યાએ હિંસાના બનાવ બન્યા હતા, જેમાં ભાજપના અનેક કાર્યકર્તાઓની હત્યા તો કેટલાક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેને ધ્યાનમાં રાખી ભાજપે દેશવ્યાપી વિરોધ કર્યો હતો. અમદાવાદમાં પણ વિરમગામમાં ભાજપના કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો.
બંગાળની ચૂંટણીના પરિણામ બાદ ચૂંટણી અહિંસાત્મક રૂપ ધારણ કર્યું
તારીખ 2 ના રોજ બંગાળના ચૂંટણી પરિણામો જાહેર થયા હતા જેમાં તૂણમૂલ કોંગ્રેસે ફરીવાર સરકાર બનાવી હતી સત્તાના જોરે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ TMC કાર્યકરો દ્વારા હિંસા ભડકાવવામાં આવી હતી અને ભાજપના કાર્યકરોને જીવતા મારી નાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ