અમદાવાદઃ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં 407 અને 397 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય દસ્ક્રોઈ તાલુકામાં 274 કેસ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના કેસ હાલ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં 58 લોકોના કોરોનાને લીધે મોત નિપજ્યા છે.
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 1700ને પાર થયો - positive number of Corona
અમદાવાદ શહેર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં ગુરુવાર સાંજ સુધીમાં નવા 20 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 1715 થયો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના કુલ કેસ 407નો આંક વટાવી ચૂક્યા છે, જ્યારે સાણંદમાં 397 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યના આંકડામાં અમદાવાદ શહેરના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

કોરોના પોઝિટિવ
બાવળામાં પણ 191 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ વધુ છે જ્યારે શહેરથી થોડે દૂર આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ કોરોના પોઝિટિવનો આંકડો ઓછું છે. અમદાવાદ ગ્રામ્યમાં 1.05 લાખ જેટલા લોકોનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામીણ વિસ્તારમાંથી સ્થિતિ ન બગડે એના માટે 87 હજાર ઘરોનું સેનિટેશન કરવામાં આવ્યું છે.