ગુજરાત

gujarat

By

Published : Jul 6, 2020, 10:02 PM IST

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યના 50 ટકા કોરોના કેસ સાણંદ અને ધોળકા તાલુકામાં નોંધાયા

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવાર સાંજ સુધીમાં નવા 15 કેસ નોંધાતા કુલ આંકડો 891 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ ગ્રામ્યના કુલ કેસ પૈકી ધોળકા અને સાણંદ તાલુકામાંથી 50 ટકા જેટલા કેસ નોંધાયા છે.

અમદાવાદ ગ્રામ્યના 50 ટકા કોરોના કેસ સાણંદ અને ધોળકા તાલુકામાં નોંધાયા
અમદાવાદ ગ્રામ્યના 50 ટકા કોરોના કેસ સાણંદ અને ધોળકા તાલુકામાં નોંધાયા

અમદાવાદ: જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 260 નોંધાયા છે. જે કુલ કેસના લગભગ 29 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 180, બાવળામાં 86 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 185, ધંધુકા 26, વિરમગામ 98, બાવળામાં 85 અને માંડલ તાલુકામાં 26 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 57 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.14 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 24 હજાર જેટલા ઘરોનું સર્વિલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 260 અને સાણંદમાં 185 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details