ગુજરાત

gujarat

ETV Bharat / state

અશાંતધારાની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો

અશાંતધારાની અમલવારી (Implementation of Ashantdhara in Gujarat) મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો (important judgment of gujarat high court)કરવામાં આવ્યો છે. કોટેએ ચુકાદો આપતા જણાવ્યું કે વેચાણ બાદશાહિત વ્યક્તિની અરજીઓના આધાર પર અશાંતધારાની મંજૂરી (Gujarat High Court judgment) રદ કરવી યોગ્ય ન કહી શકાય.

By

Published : Dec 27, 2022, 8:00 PM IST

Updated : Dec 27, 2022, 8:39 PM IST

અશાંતધારાની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
અશાંતધારાની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદરાજ્યમાં અત્યારે અશાંતધારાના (Implementation of Ashantdhara in Gujarat) કાયદાને વધુ કડકથી અમલવારી કરવામાં આવી રહ્યો છે. અશાંત ધારણા કાયદાને જ લગતો એક કેસ ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court) પહોંચ્યો હતો. જ્યાં અશાંત ધારા હેઠળ લઘુમતી સમાજ દ્વારા ફરિયાદકરવામાં આવતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોટે મહત્વનો (important judgment of gujarat high court) ચુકાદો આપતા જણાવ્યું હતું કે, વેચાણ બાદશાહિત વ્યક્તિની અરજીઓના આધાર પર અશાંતધારાની મંજૂરી રદ કરવી યોગ્ય ન કહી શકાય.

દસ ટકા ભાગીદારઆ સમગ્ર કેસની(Gujarat High Court judgment) વિગતો જોઈએ સુરતમાં હિન્દુ અને જૈનોની વસ્તી ધરાવતા વિસ્તારમાં લઘુમતી સમાજના ભાગીદારોએ બહુમતી સમાજના એક વ્યકિતને દસ ટકા ભાગીદાર બનાવી તેના ઓઠા હેઠળ પાંચ હજાર ચો.મી જમીન ખરીદી હતી. બાદમાં આ અંગે અશાંત ધારા હેઠળ કલેકટરની પરવાનગી મેળવી હતી. પરંતુ આ પેઢીમાં મુસ્લિમ ભાગીદારો છે તેવું બતાવવામાં આવ્યું ન હતું. જેથી હિન્દુ સંગઠનો અને સ્થાનિક રહીશોને આ વાતની ખબર પડતાં તેઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી સુરતના ડેપ્યુટી કલેકટરે તારીખ 9 સપ્ટેમ્બર 2021 એ અશાંત ધારા હેઠળ અપીલરદ કરી હતી. જેની સામે ભાગીદારી પેઢી સરકારમાં અપીલમાં ગયા હતા.

આ પણ વાંચો પત્ની તરફથી પતિ સામે ગેરકાયદે સંબંધનો ખોટો આરોપ ક્રૂરતા સમાન: HC

અશાંત ધારા હેઠળ અપાયેલી મંજૂરીજેમણે તેમની (ashant dhara act in gujarat) અરજી જાન્યુઆરી 2022 માં ગ્રાહ્ય રાખતાં સ્થાનિક રહેવાસીઓએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. જો કે, હાઇકોર્ટે સ્થાનિક રહીશોની રજૂઆત ગ્રાહ્ય રાખી ન હતી. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે અશાંત ધારાની અમલવારીમાં મંજૂરી માટે બે જ પાસા મહત્વના છે. જેને પગલે ખરીદનાર અને વેચનાર બંનેની મુક્ત સંમતિ હોવી જરૂરી છે. વધુમાં હાઇકોર્ટ ચુકાદો આપતા કહ્યું કે વેંચનારને ખરીદનાર પાસેથી પૂરતું વળતર મળ્યું હોવું જરૂરી છે. તેમજ ત્રાહિત વ્યક્તિની અરજી આધારે અશાંત ધારા રદ્દ કરવીએ પણ યોગ્ય નહિ હોવાનું હાઇકોર્ટે ઉમેર્યું હતું. લઘુમતી સમાજના બે ભાગીદારોએ બહુમતી સમાજના એક વ્યક્તિને ભાગીદાર રાખીને બહુમતી સમાજના એક વ્યક્તિ જોડેથી ખરીદેલી જગ્યાને અશાંત ધારા હેઠળ અપાયેલી મંજૂરીને કોર્ટે વ્યાજબી ઠેરવી છે. કોમ્યુનિટીના પોલરાઈઝેશન બાબતની ફરિયાદ કોર્ટે નકારી છે.

અશાંત ધારો એટલે શું? અશાંત ધારો એટલે કે જ્યારે તમારે મકાન કે કોઇ દુકાન વેચવી હોય તો તેની પર એક ચોક્કસ નિયંત્રણ લાગે છે. અશાંત ધારામાં સમેવશ થતા વિસ્તારમાં મિલકત વેચવા માટે કલેક્ટરને ફરજિયાત જાણ કરવી પડે છે. જેમાં કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય. તેવા અનેક નિયંત્રણો હોય છે.

Last Updated : Dec 27, 2022, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details