નવા ટ્રાફિક નિયમ પ્રમાણે જે વાહનચાલક PUC ન હોય તેને પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અગાઊ આ દંડની રકમ માત્ર 100 રૂપિયા હતી. જેથી વાહનચાલકો દંડ ભરીને છૂટા થઈ જતાં. પણ ટ્રાફિક નિયમોનું પાલન કરતાં નહોતા.
અમદાવાદમાં નવા ટ્રાફિક નિયમોની જોવા મળી અસર, વાહનચાલકોને PUC કઢાવવાની ફરજ પડી - PUC
અમદાવાદઃ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કર્યા છે. તેમજ દંડની જોગવાઈમાં પણ ફેરફાર કરાયો હતો. દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં PUC ન ધરાવતાં વાહનચાલક પાસેથી 500રૂ.ના દંડની જોગવાઈ કરાઈ છે. જેથી વાહનચાલકો PUC કઢાવવા માટે કચેરીઓની બહાર ઢગલા થઈ રહ્યાં છે.
![અમદાવાદમાં નવા ટ્રાફિક નિયમોની જોવા મળી અસર, વાહનચાલકોને PUC કઢાવવાની ફરજ પડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4441899-thumbnail-3x2-puc.jpg)
વાહનચાલકોની આ બેદરકારીને ધ્યાનમાં રાખીને સરકારે નવા ટ્રાફિકના નિયમો અમલમાં મૂક્યાં છે. સાથે જ દંડની રકમમાં વધારો કર્યો છે. જેથી શહેરના અનેક વિસ્તારોમાં PUC કાઢી આપતી દુકાનોની બહાર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે કેટલાંક વાહનચાલોકો આ નિયમને આવકારકા તો કેટલાંક આ નિયમનો વિરોધ કરતાં જોવા મળ્યાં હતા.
છેલ્લા 3 દિવસથી લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને PUC કઢાવાતા જોવા મળે છે. દિવસ દરમિયાન આશરે 300 જેટલા લોકો PUC કઢાવે છે. આ પહેલાં વાહનચાલકોમાં PUCને લઈ કોઈ ખાસ જાગ્રતા જોવા મળતી નહોતી. પણ જ્યારથી સરકાર દ્વારા દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારથી દરેક વાહનચાલકો ટ્રફિક નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે.