ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં સંચારબંધી દરમિયાન ગેરકાયદે પાટિયા ઉતારી લેવામાં આવ્યા - કરફ્યુ દરમિયાન ડીમોલિશન

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. શુક્રવાર રાત્રે સંચારબંધી લાદી દીધા બાદ શહેરના તમામ માર્ગો પરનો વાહન વ્યવહાર અને વેપારથી ધમધમતા વિસ્તારો શાંત થઇ ગયા હતા. કરફ્યૂનો અમલ થતાંની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સફાઇ ખાતું, દબાણ ખાતું પૂરજોશમાં કામે લાગી ગયું હતું. માર્ગો પરના ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા.

Demolition
Demolition

By

Published : Nov 21, 2020, 3:39 PM IST

  • કરફ્યૂ દરમિયાન સ્વચ્છતા માટેની શ્રેષ્ઠ કામગીરી
  • દબાણો દૂર કરવામાં અને સ્વચ્છતા જાળવવામાં સરળતા રહી
  • મોકળાશ જોઇ તંત્રએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા

અમદાવાદ: કોરોનાની મહામારીમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન સ્વચ્છતાની કામગીરી ઉત્કૃષ્ટ રીતે બજાવવામાં આવી હતી. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતા જેવા અનેક વિભાગોને માર્ગો પરનું કામ કરવામાં સરળતા રહેતી હતી.

અમદાવાદમાં સંચારબંધી દરમિયાન ગેરકાયદે પાટિયા ઉતારી લેવામાં આવ્યા

આજે તમામ વિસ્તારોમાં દબાણો દૂર કરાયા
શુક્રવાર રાત્રે કરફ્યુ જાહેર થતાં જ દબાણ ખાતાને દબાણો દૂર કરવામાં મોકળાશ મળી ગઇ હતી. વહેલી સવારથી જ દબાણ ખાતાની ગાડીઓ માર્ગો પર દોડતી થઇ ગઇ હતી. ડીવાઇડરો પર, થાંભલાઓ પર લગાડવામાં આવેલી જાહેરાતો, પાટિયા, બેનર્સ ઉતારી લેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં સંચારબંધી દરમિયાન ગેરકાયદે પાટિયા ઉતારી લેવામાં આવ્યા

સામાન્ય દિવસોમાં દબાણો હટાવવામાં મુશ્કેલીઓ સર્જાય હતી
સામાન્ય દિવસોમાં જ્યારે દબાણ ખાતાની ગાડીઓ માર્ગો પર કાર્યવાહી કરે છે ત્યારે મોટી અડચણો આવે છે. કેટલીક વાર સ્થાપિત હિતો અને રાજકીય દરમિયાનગીરીને કારણે મુશ્કેલી ઓ ઉભી થાય છે. પોલીસ કાફલાનો સહારો પણ લેવો પડે છે. પરંતુ સંચારબંધી જેવા સંજોગોમાં ગમે તેના ગેરકાયદેસર પાટિયા ઉતારવામાં દબાણ ખાતાને સરળતા રહી હતી.

ABOUT THE AUTHOR

...view details