ગુજરાત

gujarat

શહેરના હેરિટેજ મકાનોને કોમર્શિયલ કરવામાં આવશે, તો તેની સામે કાર્યવાહી થશે

By

Published : Dec 26, 2019, 11:23 PM IST

અમદાવાદ: શહેરને હેરિટેજ સિટી બિરુદ મળ્યું છે, પરંતુ હેરિટેજની જાળવણી અંગે તંત્ર દરકાર રાખી રહ્યું છે. જય અભિયાન સમિતિ દ્વારા આ અંગે કોર્પોરેશને આ મકાનની યાદી આપી આવા મકાન ધારકો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

etv bharat
શહેરના હેરિટેજ મકાનોને કોમર્શિયલ કરવામાં આવશે તો તેની સામે સખ્ત કાર્યવાહી થશે

હેરિટેજ સિટી અમદાવાદમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં હેરિટેજ મકાનો આવેલા છે. જેમાં તંત્રની બેદરકારીના કારણે આવા હેરીટેજ મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવે છે અને હેરિટેજ વારસાને નુકસાન પહોંચે છે. આવા કેટલાક એકમોમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક મકાનોને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.

શહેરના હેરિટેજ મકાનોને કોમર્શિયલ કરવામાં આવશે તો તેની સામે સખ્ત કાર્યવાહી થશે
સીલ તોડી નાખવામાં આવ્યું હતું. આ બાબતને લઈને હેરિટેજ બચાવો કમિટી દ્વારા કોર્પોરેશનમાં એક પત્ર લખવામાં આવ્યો હતો અને તે હેરિટેજ મકાનો કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યા છે. તેની સામે કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે. આવા 22 મકાનો છે. આ બાબત ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચાનો વિષય બન્યો હતો આવા મકાનોને સીલ કરવા ઉપરાંત તોડવાની વાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરી હતી.

ABOUT THE AUTHOR

...view details