- જન્માષ્ટમી ઉજવણીને લઈને રાજ્ય સરકારે જાહેર કરી છે ગાઈડલાઈન
- અમદાવાદના હરેકૃષ્ણ મંદિર અને ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણ
- વહેલો ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ
- ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
- ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામ-ધૂમથી ઉજવણી
અમદાવાદ: શહેરના પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે મુદ્દે માહિતી આપતા અમદાવાદ ઈસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્યદાસજીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આ વર્ષે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર અને માસ્ક સહિતની કોવિડ SOP સાથે ભગવાનનો જન્મોત્સવ અને હિંડોળાનું આયોજન કરાશે. એક સાથે ફક્ત 200 ભક્તોને જ મંદિરમાં પ્રવેશની પરમિશન અપાશે, તે માટે મંદિર દ્વારા લાઈનમાં ઉભા રહેવાની વ્યવસ્થા કરાઈ છે.
ઇસ્કોન મંદિરમાં ઈમ્પોર્ટેડ ફૂલોથી ભગવાનના હિંડોળાને સજાવવામાં આવશે
ઇસ્કોન મંદિરમાં ઈમ્પોર્ટેડ ફૂલોથી ભગવાનના હિંડોળાને સજાવવામાં આવશે. ભગવાનના વાઘાને આકર્ષક જ્વેલરીથી સજાવવામાં આવશે. અન્નકૂટનું આયોજન કરાશે. 24 કલાક કીર્તન કરવામાં આવશે. કરફ્યૂને જોતા ભગવાનનો અભિષેક વહેલા કરી દેવાશે. તેમ જ જન્મોત્સવ પણ વહેલો ઉજવવામાં આવશે. દર્શનાર્થીઓને પ્રસાદીમાં મીઠાઈ આપવામાં આવશે. જો કે દર વર્ષે હિંડોળાના દિવસે ભંડારો કરવામાં આવે છે. જે આ વખતે યોજાશે નહીં. દર્શનાર્થીઓને પેકિંગમાં પ્રસાદ આપવામાં આવશે.
પ્રભુપાદજીની 125 મી જન્મ જયંતિ ઉજવાશે
ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીએ રાત્રે 11.30 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. બીજા દિવસે સવારે 10 કલાકે નંદોત્સવ ઉજવાશે. સાથે જ ઇસ્કોન મંદિરના સ્થાપક પ્રભુપાદજીની 125 મી જન્મજયંતિ ઉજવાશે. જેમાં 125 કિલોની કેક કાપીને ભક્તોમાં વહેંચાશે.