ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરાના કાળમાં સગર્ભા મહિલાઓની કેવી રીતે કરવામાં આવે છે ડિલિવરી, જાણો આ અહેવાલમાં - કોરોના મહામારી

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોના વાઇરસની અસરને અટકાવવા અને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોરોના વાઇરસનું જોખમ વરિષ્ઠ નાગરિકો, સગર્ભા સ્ત્રીઓ અને ડાયબિટીસ, હાઇ બ્લડ પ્રેશર અથવા હાર્ટ અને કિડનીની બીમારીથી પીડિતા લોકોમાં વધારે જોવા મળી રહ્યું છે.

AHD
કોરોના

By

Published : Aug 18, 2020, 6:35 PM IST

અમદાવાદ: કોરોના કાળમાં અમદાવાદ શહેરમાં આવેલા ગાયનેક હોસ્પિટલ અને ક્લિનિક પણ સગર્ભા સ્ત્રીઓની પૂરતી કાળજી રાખી રહ્યાં છે. જેથી તેઓ કોઈપણ પ્રકારના સંક્રમણ ભોગ બને નહીં. અમદાવાદની જાણીતી હોસ્પિટલ મેફ્લાવરના ડિરેક્ટર સંજય પટેલ હોસ્પિટલની કોરોના કાળ દરમિયાનની કામગીરી વિશે જાણકારી આપી હતી.

કોરાના કાળમાં સગર્ભા મહિલાઓની કેવી રીતે કરવામાં આવે છે ડિલિવરી, જાણો આ એહવાલમાં

ઉલ્લેખનીય છે કે, જે સગર્ભા મહિલાઓ હાલ ડરી ગઈ છે અને તે લોકોને હાલ સમજ નથી પડી રહી કે, કોની પાસે ડિલીવરી કરાવી ક્યાં જવું. આ બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે હોસ્પિટલ તરફથી અલગથી ટીમ બનાવવામાં આવી છે. જે મહિલાઓના જે પણ પ્રશ્ન હોય તેનું સમાધાન કરે છે જેનાથી તેમનો સ્ટ્રેસ ઓછો થાય.

મહત્વનું છે કે, હોસ્પિટલ તરફથી સગર્ભા સ્ત્રીઓ માટે દર્દી દીઠ પેપર શીટ બદલામાં આવે છે, જેથી સંક્રમણનો ભય રહેતો નથી. હોસ્પિટલ તરફથી દર્દીઓમાં કોરોના વાઇરસનું સંક્રમણ ના ફેલાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે.

ઈશાની પરિખનો વિશેષ અહેવાલ ETV ભારત, અમદાવાદ

ABOUT THE AUTHOR

...view details