અમદાવાદઃ કોરોના વાયરસ ભીતિને લઇને હાઇકોર્ટે લીધેલી સુઓમોટો જાહેરહીતની અરજીમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે જારી કર્યા નિર્દેશ
- કોર્ટ પરિસરમાં સ્વચ્છતા અને કોર્ટ કંપાઊન્ડ તેમજ ફ્લોર જંતુમુકત રાખવા માટે જરૂરી કાર્યવાહીના આદેશ
- કોર્ટ પરિસરના પ્રવેશ દ્વાર પર ટેમ્પરેચર ગન મુકવા કોર્ટે સરકારને કર્યો આદેશ. કોર્ટમાં આવતી વ્યક્તિને તાવ જણાઈ આવે તો તાત્કાલિક સારવાર અને નિદાન માટે મોકલી આપવા નિર્દેશ
- રાજ્યની તમામ અદાલતોમાં પક્ષકારોએ આવવાનો આગ્રહ રાખવો નહીં પક્ષકારોના વકીલો આ મુદ્દે તેમના અસીલોને યોગ્ય માહિતી અને સમજ આપે.
- પાર્ટી ઇન પર્સનની રુએ હાજર થતાં વ્યક્તિ કોર્ટમાં હાજર નહીં હોય તો તેમની સામે નકારાત્મક હુકમ નહીં કરાય
- હસ્ત ધનૂનના બદલે નમસ્તેનો આગ્રહ રાખવા કોર્ટે કર્યો હુકમ