અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીયગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. સત્તાના આ રણમેદાનમાં જીત હાંસલ કરવા દરેક પક્ષ પૂરજોશમાં પ્રચાર(Campaign for election) કરી રહ્યો છે. ચૂંટણી વખતે વિવિધ મુદ્દાઓ(Various issues during elections) ઉઠતા હોય છે. ત્યારે આ ચૂંટણીમાં ક્યા મુદ્દા ઉઠી રહ્યા છે, પ્રજાને શું જોઈએ છે અને સ્ટાર પ્રચારકો જાહેરસભામાં શું નવું લઈને આવે છે. જાણવા માટે જુઓ ઈ ટીવી ભારતનો સ્પેશિયલ રિપોર્ટ(ETV bharat Special Report).
Gujarat Assembly Election 2022 : ચૂંટણી પ્રચારના પડઘમ, ક્યાં મુદ્દાઓની છે મૌસમ - દિલ્હી મોડેલથી આકર્ષવાનો પ્રયાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થનાર છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. સત્તાના આ રણમેદાનમાં જીત હાંસલ કરવા દરેક પક્ષ પૂરજોશમાં પ્રચાર(Campaign for election) કરી રહ્યો છે. ચૂંટણી વખતે વિવિધ મુદ્દાઓ(Various issues during elections) ઉઠતા હોય છે. ત્યારે આ ચૂંટણીમાં ક્યા મુદ્દા ઉઠી રહ્યા છે, પ્રજાને શું જોઈએ છે અને સ્ટાર પ્રચારકો જાહેરસભામાં શું નવું લઈને આવે છે. જાણવા માટે જુઓ ઈ ટીવી ભારતનો સ્પેશિયલ રિપોર્ટ(ETV bharat Special Report).

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ
ચૂંટણી પ્રચારના પડઘમ:ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ તબક્કાના મતદાન પહેલા ત્રણ વખત ગુજરાત આવીને જાહેરસભા સંબોધી છે. રાહુલ ગાંધી બે વખત આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો તો ગુજરાતમાં જ રોકાઈ ગયા છે. દરરોજ ચૂંટણી પ્રચારમાં ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરે છે. તો કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ પર આક્ષેપ કરી રહી છે. ભાજપ આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં ખૂબ સાચવીને બોલે છે.
રાજસ્થાન મોડલની ચર્ચા ગુજરાતમાં:બીજી તરફ કોંગ્રેસ રાજસ્થાન મોડલ ગુજરાતમાં લાગુ કરવા માટેનો પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનમાં લાગુ કરેલ યોજનાઓને ગુજરાતમાં લાવવાનું વચન આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ 8 વચનો આપ્યા છે અને ભાજપના રાજમાં કોઈ વિકાસ થયો નથી. માત્ર પાંચ પચીસ ઉદ્યોગપતિ માટે વિકાસ થયો છે. મોદી સરકાર મનની વાત કરે છે. પણ પ્રજાની વાત સાંભળતા નથી. આમ કહીને પ્રચાર કહી રહ્યા છે.
ફ્રીમાં આપવાની ગેરંટી કેટલી લલચામણી:આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં દિલ્હી અને પંજાબની જેમ ફ્રી વીજળી આપવાનું વચન આપી રહ્યા છે. સારામાં સારી સ્કુલો બનાવીને ફ્રીમાં શિક્ષણ આપવાનું કહે છે. અદ્યતન સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધાઓ સાથે ફ્રીમાં આરોગ્ય સેવા મળશે. 27 વર્ષના ભાજપના શાસનમાં આમાંથી કશું થયું નથી. અમારી સરકાર બનતા જૂની પેન્શન યોજના લાગુ થઈ જશે. 27 વર્ષ ભાજપને આપ્યા અમને પાંચ વર્ષ આપો. અમારા કામ ન ગમે તો ધક્કો મારીને કાઢી મુકજો. પરિવર્તન લાવવું જ જોઈએ.
ભાજપની કમિટેડ વોટ બેંક છેઃરાજકીય સમીક્ષક હરેશ ઝાલાએ ETV Bharatને જણાવ્યું હતું કે જ્યાં સુધી ભાજપનો સવાલ છે તેની એક કમિટેડ વોટ બેન્ક છે. હિન્દુત્વ અને રામ મંદિરના મુદ્દે જ્યાં વોટ બેન્ક ઉભી થઇ છે તેના મતદારો માટે આ બધા શબ્દો, આક્ષેપોથી કોઇ ઝાઝો ફરક પડે નહિં અને વધે નહીં. પરંતુ તેની વોટ બેન્કની એક ખાસિયત એ છે કે ભાજપ પર વાદળ ઘેરાશે અને ભાજપ તકલીફમાં દેખાશે તો કાર્યકર તેના ઘરે જાય કે નહિં, મોદી કે અન્ય નેતા પ્રચાર કરે કે નહિં તે ભાજપ બચાવવા જીતાડવા મતદાન મથકે પહોંચી જશે. ભાષણો દ્વારા વિરોધપક્ષના નેતા કે નીતિઓ પર જે આક્ષેપો કરવામાં આવે છે તેનાથી મતદારોનું ધ્યાન આકર્ષણ ચોક્કસ થાય છે.
ભષ્ટ્રાચાર, ગરીબી અને મોંઘવારીના મુદ્દા હોય જ છેઃરાજકીય વિશ્લેષક શિરિષ કાશીકરે ETV Bharatને ખાસ વાતચીતમાં કહ્યું હતું કે સામાન્ય રીતે દરેક સ્તરની ચૂંટણીમાં કેટલાક મુદ્દા હંમેશા છવાયેલા રહેતા હોય છે પછી એ નગરપાલિકાની હોય કે વિધાનસભા, લોકસભા. દાખલા તરીકે ભ્રષ્ટાચાર,ગરીબી, મોંઘવારી વગેરે. દરેક રાજકીય પક્ષ પોતાની વિચારધારા અને રાજકીય કાર્યક્રમોના આધારે લોકોને વાયદા વચનો આપે છે અને સત્તા પર આવ્યે એ પુરા કરવાની ખાત્રી આપે છે. પણ વાસ્તવમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે ઉપરોક્ત બધા મુદ્દા હોવા છતાં ચર્ચા અને વિમર્શ ( નેરેટીવ) કઈંક અલગ મુદ્દા પર જ સેટ થતાં હોય છે.
મોદી પ્રચારમાં સૌથી મોટો ચહેરો:શિરિષભાઈ વધુમાં ઉમેર્યું હતું કે ભાજપે આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ ધરીને પ્રચાર આક્રમક બનાવ્યો છે અને એટલે જ કોંગ્રેસના નેતાઓ ભૂતકાળમાં કરેલા વાણીવિલાસને ભૂલીને આ વખતે પણ એમને ભાંડવામાં પડ્યા છે. પરિણામ સામે છે કે પીએમ મોદીએ મુદ્દાને પકડી લીધો છે. આ ઉપરાંત ગુજરાતની અસ્મિતાનો મુદ્દો ભાજપ હંમેશા ઉઠાવતો આવ્યો છે. નર્મદાના નીર અને ગુજરાતને એ મુદ્દે થયેલો કેન્દ્રનો અન્યાય આ મુદ્દા પણ ભાજપે પકડ્યા છે અને હવે તેના આધારે નેરેટીવ સેટ થઇ રહ્યો છે.
દિલ્હી મોડેલથી આકર્ષવાનો પ્રયાસ દિલ્હી મોડેલથી આકર્ષવાનો પ્રયાસ:કોંગ્રેસ લાંબા સમયથી ગુજરાતમાં સત્તાથી દૂર હોવાથી તેને પોતે અન્ય રાજ્યોમાં કરેલા કામો કે નિર્ણયોને લોકો સમક્ષ મૂકવા પડે છે. અહી કોંગ્રેસ વિકાસના એક સ્તરે પહોંચેલા ગુજરાત માટે એ શું નવું કરી શકે તેના પર હજુ વાત નથી કરી રહી. જે તેના માટે નુકસાનકારક છે. કારણ કે નવા મતદારોએ કોંગ્રેસનું શાસન જોયું જ નથી. કોંગ્રેસને હવે મુકાબલો આમ આદમી પાર્ટી સાથે કરવાનો છે જે સામાન્ય માણસને આકર્ષી શકે તેવી તમામ તરકીબો અજમાવી રહી છે. મફત વીજળી, પાણીના તેના "દિલ્હી મોડેલ"થી ગુજરાતીઓ કેટલા પ્રભાવિત થઈને મત આપે છે એ તો હવે નક્કી થશે પણ તેનાથી ચૂંટણીલક્ષી ચર્ચામાં રહેવાનો તેને મોકો જરૂર મળી ગયો છે.
Last Updated : Nov 23, 2022, 10:16 PM IST