ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનગી શાળામાં ટ્યુશન ફી મુદ્દે સરકાર નવો નિણર્ય લે: હાઈકોર્ટ

શાળાઓ ફિઝિકલ સ્વરૂપમાં ફરીવાર ન ખુલે ત્યાં સુધી સંચાલકો કોઈપણ પ્રકારની ફી ન વસુલવાના શિક્ષણ વિભાગના ઠરાવનો ચોથો ક્લોસ છે. તેને ગુજરાત હાઈકોર્ટે રદ જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આપેલ આદેશમાં જણાવ્યું છે કે ટ્યુશન ફી મુદ્દે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવે. હાઈકોર્ટનું અવલોકન છે કે ઠરાવમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંતુલન જળવાવવું જોઈએ.

By

Published : Jul 31, 2020, 3:15 PM IST

ખાનગી શાળામાં ટ્યુશન ફી મુદ્દે સરકાર નવો નિણર્ય લે: હાઈકોર્ટ
ખાનગી શાળામાં ટ્યુશન ફી મુદ્દે સરકાર નવો નિણર્ય લે: હાઈકોર્ટ

અમદાવાદ: હાઈકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ફી મુદ્દે નવો નિણર્ય લેવામાં આવે, ત્યાં સુધી શિક્ષણ પ્રવૃત્તિ અટકવી ન જોઈએ. એટલે ઓનલાઈન શિક્ષણ પ્રવૃત્તિ જારી રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ ચુકાદા બાદ હવે શાળા અને સરકાર વચ્ચે બેઠક થઈ શકે છે. જેમાં ફી માં કેટલાક પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકાય છે તેવું સુત્રો દ્વારા હાલ જાણવા મળ્યું છે.

ખાનગી શાળામાં ટ્યુશન ફી મુદ્દે સરકાર નવો નિણર્ય લે: હાઈકોર્ટ
નોંધનીય છે કે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે જો રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડે તો આવી કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થાય નહિ. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે વાલીઓ કેમ ફી ભરી શકતા નથી. જેના જવાબમાં સરકારે કહ્યું કે આર્થિક સમસ્યાને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે જો વાલીઓ પાસે સ્કૂલની ફી ભરવાના પૈસા નથી, તો રાજ્ય સરકાર તેમની મદદ કેમ કરતી નથી. સરકાર સુવિધાઓ પુરી પાડી શકી નથી, ત્યારે જ ખાનગી શાળાઓ શરૂ થઈ છે. કોરોના લૉકડાઉન દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી બાદ શિક્ષણ વિભાગ તરફે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ શાળાઓ બંધ છે જ્યાં સુધી ફરીવાર શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસુલી શકશે નહિ. જે વાલીઓએ ફી ભરી દીધી છે તે શાળા શરૂ થશે ત્યારે સરભર કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો હતો.લૉકડાઉનના સમયગાળામાં જે વિધાર્થીઓએ વૈકલ્પિક સુવિધા/પ્રવૃતિઓનો લાભ લીધો છે તે માટે ફી ની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ જે શાળાઓ સેવા આપતી નથી તે શાળા કોઈપણ પ્રકારની ફી વસુલી શકશે નહિ. કોરોનાના કપરા સમયને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓ ફી વધારો કરી શકશે નહિ. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા બાળકોને શાળા હાંકી શકશે નહિ. નોંધનીય છે કે લૉકડાઉનના સમય દરમિયાન પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેની સામે ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારને વાલીઓ અને શાળાઓ વચ્ચે મધ્યહસ્થી બની નિણર્ય લેવાનો આદેશ કર્યો હતો. જોકે વાલીઓને બોજો ન થાય તેવો નિણર્ય લેવાની તાકીદ પણ કરી હતી. હાઈકોર્ટે 30મી જૂન સુધી વાલી ફી ન ભરે તો વિદ્યાર્થીનો એડમિશન રદ ન કરવાનો આદેશ કર્યો હતો.

વાલીઓ વતી હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માગ કરવામાં આવી હતી કે કોરોના લૉકડાઉનને લીધે ધંધો-વેપાર બંધ હોવાથી એપ્રિલ અને મે મહિનાના ઓનલાઈન અભ્યાસની ફી ખાનગી શાળાઓ દ્વારા માફ કરવામાં આવે અથવા આ બે મહિનાની માત્ર સ્કૂલ ફી જ વસૂલવામાં આવે.

વાલીઓ દ્વારા માગ કરવામાં આવી હતી કે ખાનગી શાળા ફી માફ કરે અથવા તો ફી માંથી ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, સ્ટેશનરી ફી સહિતની ફી માફ કરવામાં આવે, કારણે કે કોરોના લૉકડાઉન દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં બાળકોએ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે લેબ, કોમ્પ્યુટર સહિતનો ઉપયોગ કર્યો નથી. વાલી માત્ર સ્કૂલ ફી ચૂકવવા તૈયાર થયા છે. નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાએ 30મી ઓગસ્ટ બાદ શાળા-કોલેજ શરૂ કરવાનો નિણર્ય લેશે.

ABOUT THE AUTHOR

...view details