ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી છતી થઈ, મૃતદેહને અન્ય પરિવારને આપી દેવાયો - Gandhinagar news
રૂપાણીના રાજમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની કોઈ જ કિંમત નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો બદલાયેલા અને રઝળતા જોવા મળ્યા છે. ત્યારે તે જ રસ્તા પર હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પણ આવી ગઈ છે. દર્દીઓની સારવાર કરવાની જગ્યાએ તેમના રિપોર્ટમાં જ સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. અને પરિણામો સ્વજનને ભોગવા પડી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પોતાના પરિવારજનોના મૃતદેહ પણ પોતાના સ્વજનો મળતો નથી.
![ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી છતી થઈ, મૃતદેહને અન્ય પરિવારને આપી દેવાયો etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:57-gj-gdr-26-civilissu-photo-7205128-05062020205211-0506f-1591370531-698.jpg)
ગાંધીનગર: રાજ્ય સરકાર કોરોના વોરિયર તરીકે ગણાતા પોલીસ કર્મચારીઓને માનપાન આપવા માટે જાહેરાતો આપી રહી છે. પરંતુ રાજ્યમાં બધું જ દેખાડા માટે થતું હોય એવું સામે આવી રહ્યુ છે. કોરોના વોરિયર્સ ગણાતા ચિલોડા હોમગાર્ડના ઈન્ચાર્જને ગત 3 જૂનના રોજ ફરજ દરમિયાન દુખાવો ઉપડ્યો હતો. જેને લઇને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હૃદય રોગનો હુમલો હોવાનું જણાઇ આવતાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોની બેદરકારી કહો કે, અધિકારીનું ટૂંકું આયુષ્ય. થોડી રાહત થયા બાદ તબીબોએ તેમને જનરલ વોર્ડમાં દાખલ કરી દીધા હતા. અને તેના થોડા કલાકો બાદ તેમણે આ દુનિયાને અલવિદા કરી દીધી હતી.