ગુજરાત

gujarat

ETV Bharat / state

DPS વિવાદ: કોર્ટે મંજુલા શ્રોફ સહિત ત્રણેય આરોપીઓના આગોતરા જામીન ફગાવ્યા - gujaratpolice

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમની સાથે હાથીજણ ખાતે આવેલી DPS સ્કૂલ પણ વિવાદમાં સંપડાઈ છે. શાળા મુદ્દે શિક્ષણ વિભાગમાં રજૂ કરાતો NOC બોગસ હોવાથી DPS સ્કૂલના ટોચના આધિકારીઓ વિરૂદ્ધ દાખલ થયેલી પોલીસ ફરિયાદના ભાગરૂપે આરોપી મંજુલા શ્રોફ, હિતેન વંસત અને અનિતા દુવા દ્વારા અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

manjula
મંજૂલા

By

Published : Dec 11, 2019, 7:50 PM IST

કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે અને જો તેમને જામીન આપવામાં આવશે, તો પુરાવવા સાથે ચેડા થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતા. કોર્ટમાં આ મુદ્દે પોલીસ દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કુલ દ્વારા લેવામાં આવેલી બોગસ NOC તપાસ માટે મેળવી શકાશે નહીં.

ત્રણેય આરોપીઓના આગોતરા જામીન ફગાવ્યા

પોલીસે સોંગદનામાં આક્ષેપ કર્યો છે કે, આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. DPS ઈસ્ટ શાળાએ ખોટી NOC મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કૂલ સતાધિશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજૂર કરવામાં ન આવે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસ સુધીમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરી શકે છે.

પહેલા પણ અરજદારના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસ સોંગદનામું રજૂ ન કરે, ત્યાં સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે તેવી દાદ સાથે અરજી દાખલ કરતા કોર્ટે તેને માન્ય રાખીને અગામી મુદ્દત સુધીમાં ધરપકડ માંથી રાહત આપી હતી.

શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુવા સામે બોગસ NOC મુદ્દે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કૂલની માન્યતા રદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details