ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં દેવીપૂજક સમાજ દ્વારા 'દિવાસા'નો કાર્યક્રમ યોજાયો, ગૃહપ્રધાને આપી હાજરી - દેવીપૂજક સમાજ

અમદાવાદ: શહેરમાં અષાઢી વદ અમાસના દિવસે દર વર્ષની જેમાં દેવીપૂજક દ્વારા દીવાસોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સમાજના લોકોએ ભાગ લઈ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આર્પી હતી. આ કાર્યક્રમમાં દેવીપૂજક સમાજના અગ્રણીઓ સાથે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

અમદાવાદમાં દેવીપૂજક સમાજ દ્વારા 'દિવાસા'નો કાર્યક્રમ યોજાયો, રાજ્યગૃહપ્રધાને આપી હાજરી

By

Published : Aug 1, 2019, 8:37 PM IST

દરેક સમાજની અલગ-અલગ પરંપરા હોય છે, તેવી જ રીતે દેવીપૂજક સમાજની પણ એક પરંપરા છે. જે મુજબ દર વર્ષે અમાસના એટલે કે 'દિવાસા'ના દિવસે પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે પૂજા કરે છે. આ દિવસે સ્વજનોને યાદ કરીને તેમને મનગમતી વસ્તુ ધરાવવામાં આવે છે.

અમદાવાદમાં દેવીપૂજક સમાજ દ્વારા 'દિવાસા'નો કાર્યક્રમ યોજાયો, ગૃહપ્રધાને આપી હાજરી

આ વર્ષે દિવાસાનો કાર્યક્રમ શહેરના ચામુંડા ખાતે આવેલાં સ્મશાનગૃહમાં યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી દેવીપૂજક સમાજના લોકોએ ભાગ લીધો હતો. તેમણે પોતાના મૃતક સ્વજનોને પૂજા કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details