ફ્રીજ અને કૂલરના જમાનામાં પણ માટલાનું છે અલગ જ અસ્તિત્વ! - AHD
અમદાવાદ: સમગ્ર ભારતમાં અતિશય ગરમીનો પ્રકોપ ચરમસીમાએ છે, ત્યારે અમદાવાદનું તાપમાન પણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં ઠંડક માટે શહેરીજનો ફ્રીજના પાણી, કુલરના પાણીનો તેમજ આરો સિસ્ટમનો ઉપયોગ કરી મહદંશે ગરમીમાં રાહત મેળવવા માટે તલપાપડ રહેતા હોય છે.
સ્પોટ ફોટો
હાલમાં પણ ફ્રિજ અને કુલરના પાણી કરતા પણ માટીના માટલા ખૂબ જ પ્રચલિત છે અને તેમાં પણ બજારમાં માટીના માટલાની અવનવી આકર્ષક ડીઝાઈનો તેમજ કલરફુલ રંગરોગાનથી મનમોહક પાણીના માટલા, પાણીના વોટર જગ તેમજ પાણીની બોટલો પણ માટીમાંથી બનાવવામાં આવી રહી છે. ગમે તેટલી ગરમી હોવા છતાં પણ તેમાં પાણી બિલકુલ ઠંડુ પીવા મળે છે, તેમજ ફ્રીજના પાણીથી થતા ગેસ,અપચો, એસિડિટી જેવા રોગો થતા નથી.