ડો બંસી સાબુએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસના વ્યાપના સંદર્ભમાં ભારત ચાઇના પછી બીજા ક્રમે છે. ભારતને દુનિયામાં ડાયાબિટીસના રાજધાની તરીકે ગણવામાં આવે છે. ભારતમાં ડાયાબિટીસના વધતા જતા કેસોને જોતાં આગાહી કરવામાં આવી છે કે, નજીકના ભવિષ્યમાં આપણે આ મામલે બહુ જલદી ચાઇનાને પાછળ રાખી દઈશું.
અમદાવાદમાં 27 થી 29 સપ્ટેમ્બર સુધી ગ્લોબલ કોન્ફરન્સ યોજાશે - ગ્લોબલ કોન્ફરન્સ
અમદાવાદ: શહેરમાં 27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી DIACON 2019 ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 ઇન્ટરનેશનલ ફેકલ્ટી 100 નેશનલ સ્પીકર અને જાણીતા ડોક્ટરો ઉપસ્થિત રહેશે. આ ઇવેન્ટનું આયોજન ડો.એસ.એમ સાડીકોટ, ડો. શશાંક જોશી અને ડો. બંસી સાબુ દ્વારા કરવામાં આવ્યું છે.
![અમદાવાદમાં 27 થી 29 સપ્ટેમ્બર સુધી ગ્લોબલ કોન્ફરન્સ યોજાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4576949-242-4576949-1569618794976.jpg)
ahd
ડાયાબિટીસની ઓછી વયના લોકોમાં પણ જોવા મળે છે અને તેનું કારણ છે કે, આજના યુવાનોને ખાવા-પીવાની પૂરતી સમજ નથી અને જંકફૂડ તરફ લોકો વધી રહ્યા છે. કોઇ ફિઝિકલ એક્ટિવિટી ન હોવાને લીધે આપણા દેશમાં ડાયાબિટીસ ઝડપથી પ્રસરી રહ્યો છે. ડાયાબિટીસમાં 2 પ્રકારના રિવર્સલ શક્ય છે. બેરિયાટ્રિક સર્જરી દ્વારા ખૂબ ઓછી કેલરી યુક્ત આહાર અને ઓછી કાર્બોહાઇડ્રેટ આહાર દ્વારા સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ડાયાબિટીસ 2 પ્રકારના રિવર્સલ શક્ય છે.