ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય : ધોળકામાં કોરોનાનો આંકડો 300ને પાર - અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટ

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 15 કેસ નોંધાતા કુલ આંકડો 1121 પર પહોંચ્યો છે.

Covid-19 crosses 300 in Dholka
અમદાવાદ ગ્રામ્ય : ધોળકામાં કોરોનાનો આંકડો 300ને પાર

By

Published : Jul 22, 2020, 9:14 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 15 કેસ નોંધાતા કુલ આંકડો 1121 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 300ને વટાવી ગયો છે અને અન્ય 2 તાલુકા સાણંદ - દસક્રોઈમાં પણ કોરોનાનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતાં પોઝિટિવ કેસનો આંકડો 301 અને સાણંદમાં 261 કેસ નોંધાયા છે. જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 205, બાવળામાં 120 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 37, વિરમગામ 122, બાવળા -120 અને માંડલ તાલુકામાં 41 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી 58 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.04 લાખ લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 31 હજાર જેટલા ઘરોનું સર્વેલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 301 અને સાણંદમાં 261 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details