ગુજરાત

gujarat

By

Published : Jun 18, 2020, 8:57 PM IST

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો આંકડો 659 પર પહોંચ્યો

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવાર સાંજ સુધીમાં નવા 09 કેસ નોંધાતા કુલ આંકડો 659 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી.

corona Positin patient reached 659 in rural Ahmedabad
અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો આંકડો 659 પર પહોંચ્યો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવાર સાંજ સુધીમાં નવા 09 કેસ નોંધાતા કુલ આંકડો 659 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાના 198 કેસ નોંધાયા છે, જ્યારે દસક્રોઈ 155, બાવળામાં 71 કેસ નોંધાયા છે. બુધવારે સૌથી વધુ 10 કોરોના પોઝિટિવ કેસ ધોળકા તાલુકામાં નોંધાયા હતા. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 118, ધંધુકા 22, વિરમગામ 59, બાવળા 71 અને માંડલ તાલુકામાં 14 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 44 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.34 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં 39 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 198 અને સાણંદમાં 118 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા મકાનોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details