અમદાવાદ : શહેરનો નહેરુનગર ચાર રસ્તા વિસ્તાર સામાન્ય દિવસોમાં ભારે ટ્રાફિકથી ધમધમતો હોય છે. જો કે, હાલ લૉકડાઉનને કારણે સાવ સૂમસામ થઈ ગયો છે. આ નહેરુનગર ચાર રસ્તાના સર્કલ પર કોરોના વાઇરસના ચેપથી કેવી રીતે બચી શકાય તેવા સંદેશાઓ રોડ પર ચારે તરફ દોરવામાં આવ્યા છે. જેથી વાહનચાલકો રોડ પરથી પસાર થયા તો તેમને તુરંત જ સંદેશા વાંચવા મળે.
અમદાવાદ: નહેરુનગર સર્કલ પર અનોખી રીતે રજૂ થાય છે કોરોના અંગેના સંદેશાઓ…
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, અને ભારતમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ગુજરાત બીજા નંબરનું રાજ્ય બન્યું છે. હાલ ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. 3 મે સુધી લૉકડાઉન પણ છે. આવા કપરા સંજોગોમાં લોકો બહાર ન નીકળે અને નીકળે તો માસ્ક પહેરીને નીકળવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એવા સંદેશ આપાઈ રહ્યા છે. અમદાવાદની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની એલેમ ઈવેન્ટ્સના પ્રોપરાઇટર લવ વ્યાસ તેમજ પેઈન્ટર નાગરભાઈ પ્રજાપતિ અને અશોકભાઈ પંચાલ દ્વારા કોરોનાના સંક્રમણથી બચવા અનોખી રીતે સંદેશ આપ્યો છે.
સોશિયલ ડિસ્ટન્સ જાળવવું
નહેરુનગર સર્કલની ચારે તરફ માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હાથ ન મિલાવો- નમસ્તે કહો, સ્ટે હોમ જેવા સંદેશ ચિત્ર લખવામાં આવ્યા છે. તેમજ કોરોના વાઇરસનું મોટું ચિત્ર પણ દોર્યું છે, અને તેની પર ગુજરાતનો મેપ દોર્યો છે. જે દર્શાવે છે કે, ગુજરાત કોરોના પર જીત મેળવીને જંપશે.
Last Updated : Apr 26, 2020, 4:40 PM IST