ગુજરાત

gujarat

By

Published : Jul 20, 2020, 10:03 PM IST

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 3 તાલુકામાં કોરોનાનો આંકડો 200ને પાર

કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારોમાંં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે સાંજ સુધીમાં નવા 15 કેસ નોંધાતા કુલ આંકડો 1094 પર પહોંચ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 3 તાલુકામાં કોરોનાનો આંકડો 200ને પાર
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 3 તાલુકામાં કોરોનાનો આંકડો 200ને પાર

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે સાંજ સુધીમાં નવા 15 કેસ નોંધાતા કુલ આંકડો 1094 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં બાદ હવે દસક્રોઈ તાલુકામાં પણ કોરોનાનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 297 અને સાણંદમાં 250 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 190, બાવળામાં 118 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાન ધંધુકા 35, વિરમગામ 120, બાવળા -118 અને માંડલ તાલુકામાં 40 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 58 દર્દીઓના મોત નિપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.29 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 28 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે.

ધોળકામાં 297 અને સાણંદમાં 250 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ્ક સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details