ગુજરાત

gujarat

ETV Bharat / state

ચક્રવાત 'વાયુ' ને ધ્યાનમાં રાખી ભારતીય નૌકાદળ સ્ટેન્ડબાય - Indian Navy standby

અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારે આવતીકાલે 'વાયુ' વાવાઝોડું ત્રાટકવાનું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે. જ્યારે દિલ્હીથી નૌકાદળને ગુજરાત પર આવનારી આફતને પગલે સ્ટેન્ડ બાઇ મુકવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ પશ્ચિમ નૌકાદળ કમાન્ડ દ્વારા નીચેની પ્રારંભિક કામગીરીઓ શરૂ કરી દેવાઈ છે.

ચક્રવાત 'વાયુ'

By

Published : Jun 12, 2019, 7:28 PM IST

રાજ્યનાં વહીવટીતંત્ર, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય તટરક્ષક દળ સત્તામંડળે માછીમારોને દરિયામાં આગળ વધવા સામે ચેતવણી જાહેર કરી છે.

ભારતીય નૌકાદળ સ્ટેન્ડબાય

તોફાની હવામાનની સ્થિતિ સામે જરૂરી તમામ આગોતરી સાવચેતીનાં પગલાં

  • માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) ઇંટો અને રાહતસામગ્રી નક્કી કરેલા જહાજો પર ચઢાવી દેવામાં આવી છે તથા ટૂંકી નોટિસમાં સૈન્યને તૈનાત થવા માટે સજ્જ છે.
  • દરિયામાં ભારતીય નૌકાદળનાં જહાજો અને નિયમિત ઉડાન પર નીકળેલા વિમાન/હેલિકોપ્ટરોને દરિયામાં કાર્યરત માછીમારીનાં જહાજોને જાણકારી આપવાની અને તેમને દરિયાકિનારે પરત ફરવાની સલાહ આપવાની સૂચના આપવામાં આવી છે.
  • ભારતીય નૌકાદળની ડાઇવિંગ અને રેસ્ક્યુ ટીમો તથા રાહત સામગ્રીઓને સિવિલ ઓથોરિટીને જરૂર મુજબ સહાય માટે તૈયાર રાખવામાં આવી છે.
  • મુંબઈમાં ઇન્ડિયન નેવી હૉસ્પિટલમાં તબીબી ટીમો અને સુવિધાઓને આકસ્મિક મેડિકલ સહાય માટે તૈનાત રાખવામાં આવી છે.
  • P8I અને IL વિમાનને જરૂર મુજબ SAR અભિયાનો હાથ ધરવા તૈનાત રાખવામાં આવ્યાં છે.
  • મુખ્યાલયો, ઑફશોર ડિફેન્સ એન્ડ એડવાઇઝરી ગ્રૂપે દરિયાકિનારાં તમામ પ્લેટફોર્મને ચક્રવાત “વાયુ” પર એડવાઇઝરી જાહેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details