ગુજરાત

gujarat

By

Published : Dec 4, 2019, 7:31 PM IST

ETV Bharat / state

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલે કોંગ્રેસ વિધાનસભા સુધી કૂચ કરશે

અમદાવાદ: 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના પુરાવા કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ પરીક્ષા રદ કરવાની માગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ સરકાર પાસે માગણી લઈને આવેલા 2000થી વધુ વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા રોકી રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ: બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલે કોંગ્રેસ વિધાનસભા સુધી કુચ કરશે
અમદાવાદ: બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલે કોંગ્રેસ વિધાનસભા સુધી કુચ કરશે

પરીક્ષા મુદ્દે રાજ્યના ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, ગેરરીતિ મામલે યોગ્ય તપાસ થશે, પરંતુ પરીક્ષા રદ કરવામાં નહીં આવે. આ મામલે કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બિનસચિવાલય પરીક્ષાના 17 દિવસ બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. CCTV રજૂ કર્યા છતા પણ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. સરકાર જ યુવાનોને સાથ નથી આપતી અને યુવાનો રજૂઆત કરવા જાય છે, ત્યારે તેમને રજૂઆત પણ કરવા દેવામાં આવતી નથી.

અમદાવાદ: બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલે કોંગ્રેસ વિધાનસભા સુધી કુચ કરશે

સરકાર દ્વારા ફરિયાદીને જ ગુનેગાર બનાવામાં આવે છે. ફરિયાદો આવ્યા છતાં માત્ર તપાસનું રટણ કરવામાં આવ્યું છે. પરંતુ કોઈ પગલા લેવામાં નથી આવ્યા. પરીક્ષાએ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. વિદ્યાર્થીઓના હિત માટે આગામી 9મી ડિસેમ્બરથી કોંગ્રેસ દ્વારા વિધાનસભા સુધીની કુચ કરવામાં આવશે, મહત્વનું છે કે, 9 ડિસેમ્બરથી જ વિધાનસભાનું સત્ર પણ ચાલુ થવાનું છે.

ABOUT THE AUTHOR

...view details