ગુજરાત

gujarat

ETV Bharat / state

એક્સાઈઝ ડયુટી રિફન્ડ મેળવવા સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટની જોગવાઈ 11-Bનું પાલન ફરજીયાત:હાઈકોર્ટ - સેન્ટ્રલ એકસાઈઝ એક્ટની કલમ 11-બી

અમદાવાદઃ વર્ષ 2005માં સેન્ટ્રલ એકસાઈઝ ડયુટી ચોરી કરવાના કેસની તપાસ દરમિયાન અને વિભાગ દ્વારા શો-કોઝ નોટીસ પાઠવતા પહેલાં જમા કરાયેલી રકમને અગાઉ મૂકેલી થાપણ ગણાવી, તેને પરત મેળવવા મુદે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટને જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને ઉમેશ ત્રિવેદીની ખંડપીઠે ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતાં કહ્યું કે જમા કરાયેલી ડ્યુટીને પરત મેળવવા માટે સેન્ટ્રલ એકસાઈઝ એક્ટના નિયમોનું પાલન થવું જોઈએ અને અરજદારે મર્યાદિત સમયગાળા દરમ્યાન અને સપષ્ટ ફોરમેટમાં અરજી કરવી જોઈએ.

ETV BHARAT

By

Published : Sep 6, 2019, 11:39 PM IST

Updated : Sep 7, 2019, 1:10 PM IST

હાઈકોર્ટના જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને ઉમેશ ત્રિવેદીની ડિવિઝન બેંચે નોંધ્યું હતું કે અરજદારે ટેક્સ ચોરીના કેસની તપાસ દરમિયાન સ્વૈચ્છાએ એકસાઈઝ ડયુટીની રકમ જમા કરાવી હતી. જેથી તેને પરત મેળવવા માટે નિયમ મુજબ સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટના સેકશન 11-બી મુજબ કાર્યવાહી કરવી પડે. સેન્ટ્રલ એકસાઈઝ એક્ટનના સેક્શન -11 બી મુજબ રિફન્ડના દાવા માટે અરજદારે એક વર્ષ સુધીમાં સપષ્ટ ફોર્મેટમાં અરજી કરવી પડે.

અરજદાર અરજીની ઈન્ટીરીયર વતી વકીલ હસિત દવેએ રજુઆત કરી હતી કે એકસાઈઝ ડયુટી ચોરીના કેસમાં કસ્ટમ એકસાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ અને સુપ્રિમ કોર્ટ દ્વારા અરજદારને આપવામાં આવેલી કલીનચીટ બાદ અરજદાર દ્વારા કેસની તપાસ દરમિયાન વડોદરા સેન્ટ્રલ એકસાઈઝ અને કસ્ટમ રેન્ડ સુપ્રિટેન્ડેન્ટના આદેશ પ્રમાણે શો-કોઝ નોટીસ પહેલાં કુલ જુદા જુદા ચલણ થકી જમા કરાવેલા 18,32,076 રૂપિયાને અગાઉ મૂકેલી થાપણ ગણી પરત કરવામાં આવે. અરજદાર દ્વારા તપાસ કેસની તપાસ દરમિયાન જમા કરાયેલી રકમ થાપણ છે અને એક્સાઈઝ ડયુટી નથી. જેથી રકમ પરત એટલે કે રિફન્ડ મેળવવા માટે સેન્ટ્રલ એકસાઈઝ એક્ટની કલમ 11-બી લાગુ પડતી નથી.

આ મુદે સરકારી વકીલ નિરઝર દેસાઈએ દલીલ કરી હતી કે અરજદારે સેન્ટ્રલ એકસાઈઝ વિભાગ દ્વારા શો-કોઝ નોટીસ પાઠવતા પહેલાં સ્વૈચ્છાએ રકમ જમા કરાવી હોવાથી તેને એકસાઈઝ ડયુટી ગણવામાં આવે. સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ પ્રમાણે કારણદર્શક નોટીસ પહેલાં પણ ડયુટી ભરી શકાય છે. 31મી જુલાઈ 2007ના રોજ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા અરજદારને એક્સાઈઝ ડયુટી ચોરી કેસમાં ક્લીનચીટ આપવામાં હોવાથી અરજદાર કેસની તપાસ દરમિયાન જમા કરેલી રકમ પરત મેળવવા અરજી સપષ્ટ ફોરમેટમાં અને આદેશના એક વર્ષ સુધીમાં કરવી જોઈએ. જો કે અરજદારે રિફન્ડનો દાવો કરતી અરજી આશરે ત્રણ વર્ષ બાદ 21મી ઓગસ્ટના 2010ના રોજ કરી હતી. એટલું જ નહિ અરજીનું ફોરમેટ પણ સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટના સેક્શન 11-બી મુજબ નથી. જેથી રકમ પરત મેળવવાનો રિફન્ડ દાવો મળવાપાત્ર નથી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2005માં વડોદરા સ્થિત અરજી ઈન્ટીરીયર્સને એક્સાઈઝ ડયુટી ચોરી કેસની તપાસમાં વડોદરા સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમ રેન્જ સુપ્રિટેન્ડેન્ટના આદેશ પ્રમાણે 18,32,076 રૂપિયા જમા કરાવ્યા હતા જ્યારબાદ સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપિલેટે કલીન ચીટ આપતા કેસની તપાસ દરમ્યાન જમા કરાયેલી રકમને પરત મેળવવા અરજદાર દ્વારા CESTAT સમક્ષ અરજી કરવામાં આવી હતી જોકે રિફન્ડ મેળવવાના કેસમાં CESTATએ ચુકાદો અરજદારના વિરૂધમાં આપતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

અમદાવાદથી આકિબ છીપાનો વિશેષ અહેવાલ....

Last Updated : Sep 7, 2019, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details