અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિરમગામ તાલુકા પંચાયત ભવનનું સોમવારે ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જે ભવન 240 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.
CM રૂપાણીએ વિરમગામ તાલુકા પંચાયતનું ઈ-ખાતમુહૂર્ત કર્યું - વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિરમગામ તાલુકા પંચાયત ભવનનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જે ભવન 240 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપુરા, પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રી પટેલ, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, SDM સુરભી ગૌતમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટા પટેલ, તાલુકા વિકાસ અધિકારી ડી.એન ચારણ, ભગવતી મોરી, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ રીના પંડ્યા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલ, લખુભા ચાવડા, લખુભા મોરી, જગદીશ મેણીયા, મફા ભરવાડ, કિરીટસિંહ ગોહીલ, રમેશ.કો.પટેલ, પ્રમોદ પટેલ, વિષ્ણુ જાદવ, મનજી સેનવા, ધીરૂ ચૌહાણ, દિપક પટેલ, નિલેશ ચૌહાણ, દિપક ડોડીયા, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત સરકારી અધીકારીઓ અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.