વાસણા બેરેજના દરવાજા થશે રિપેર, CM રૂપાણીએ કરી જાહેરાત - ahmedabad
અમદાવાદઃ સાબરમતી કિનારે આવેલી વાસણા બેરેજના દરવાજાનું સમારકામ કરવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
વાસણા બેરેજ ખાતે પાંચ દરવાજા રીપેરીંગ કરવાના હોવાથી ચોમાસા દરમિયાન તેમાં તકલીફ ન પડે માટે અત્યારે વાસણા બેરેજનું લેવલ ખાલી કરી રહ્યા છે. તે પાણી કેનાલ દ્વારા ખાલી કરવામાં આવી રહ્યું છે અને પાણી ખાલી થયા પછી દરવાજાનું રીપેરીંગ કરવામાં આવશે. જેથી ચોમાસા દરમિયાન ગેટ ઓપરેટ કરવામાં તકલીફ ન પડે. હાલમાં આધારભૂત વર્તુળ તરફથી મળતી માહિતી મુજબ વાસણા બેરેજના પાણીનું લેવલ અંદાજીત 129.75 ફૂટ છે.
વાસણા બેરેજમાં રીપેરીંગ કરવામાં આવશે