ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંતેજ અને છત્રાલમાં ISI માર્કા વગરના પીવાના પાણીના ઉત્પાદકોના એકમો પર દરોડા - Ahmedabad

અમદાવાદ: ભારતીય માનક બ્યૂરોએ અમદાવાદ-ગાંધીનગર રોડ પર આવેલા પીવાના પાણીના ઉત્પાદકો પર દરોડા પાડ્યા હતા. જેમાં ઉત્પાદકો દ્વારા ISI માર્કનો દૂરઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ તપાસ દરમિયાન બ્યૂરોના અધિકારીઓએ પીવાના પાણીના એકમોને સીલ કરવામાં આવ્યા છે.

ISIના દરોડા

By

Published : Jul 12, 2019, 12:52 PM IST

ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના કંપનીના પેકીંગવાળા પેયજળનું ઉત્પાદન, પેકીંગ અને ISI માર્કનો ઉપયોગ કરાતો હોવાની બાતમીના આધારે પેયજળ ઉત્પાદક મેસર્સ શિવશક્તિ બેવરેજિસ પ્લાન્ટ 865, સાંતેજ ટાઈલ્સ પાસે, સાંતેજ, કલોલ, ગાંધીનગર-382721 તથા મેસર્સ રોયલ બેવરેજીસ, પ્લાન્ટ સંખ્યા 3, સર્વે સંખ્યા 207, ખાત્રજ, કલોલ, ગાંધીનગરના પરિસરમાં દરોડો પાડ્યો હતો.

આ કામગીરી દરમિયાન મોટા પ્રમાણમાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ ISIનો દૂરુપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ISI વાળા લગભગ 1003 કાર્ટૂન તેમજ 200 લેબલ વાળા રોલ મેસર્સ શિવશક્તિ બેવરેજીસના ત્યાંથી અને 1104 કાર્ટૂન તથા 40 લેબલવાળા રોલ મેસર્સ રોયલ બેવરેજિસ પાસેથી સીલ કરવામાં આવ્યા હતા.

આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે. જેમાં કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ ISI લાયસન્સ વગર ઉત્પાદન કરી શકતા નથી. ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17 ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે. જે અંતર્ગત 2 વર્ષની સજા અથવા 2,00,000નો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ કરવામાં આવતી હોય છે.

લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે ISI માર્કાનો ઉપયોગ થતો હોય છે. જે કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના પ્રમાણિત ચિન્હના દુરપયોગની માહિતી હોય તે એ અંગે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કાર્યાલયને જાણ કરી શકે છે. તો આ સિવાય ahbo@bis.gov.in અથવા eng@bis.gov.in પર ઈ-મેઈલ દ્વારા પણ ફરિયાદ કરી શકાય તેમ છે. આ પ્રકારની માહિતી આપનારની પણ ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details